HIMATNAGARSABARKANTHA

ખેડૂત મિત્રોએ ચણાના પાકમાં સુકારાના રોગ સામે લેવાના થતાં પગલા

ખેડૂત મિત્રોએ ચણાના પાકમાં સુકારાના રોગ સામે લેવાના થતાં પગલા

***************

ખેડૂત મિત્રો દ્વારા ચણાનું વાવેતર કરવામાં આવે છે. દરેક ખેતીમાં અલગ અલગ પ્રકારના રોગો આવતા હોય છે. જેમાં ચણાના પાકમાં આવતા સુકારાના રોગ સામે વાવેતર માટે સુકારા પ્રતિકારક જાત (ગુ.ચ-૧,ગુ.ચ-૫, ગુજરાત જૂનગઢ ચણા-૬)ની પસંદગી કરવી.બીજને થાયરમ ૩ ગ્રામ/કેપ્ટાન ૩ ગ્રામ /કાર્બેન્ડાઝીમ ૫૦ વેટેબલ પાવડર ૨ ગ્રામ/ટ્રાઈકોડર્મા જૈવિક નિયંત્રક ૧૦ થી ૨૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ દીઠ પટ આપીને વાવણી કરવી.વાવણી વખતે દિવેલી ખોળ હેક્ટર દીઠ ૧ ટન આપવું. તેમજ ચણા પછી બાજરી કે જુવારની ફેરબદલી કરવાથી સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડી શકાય છે. સારી ગુણવત્તા ૫ કિગ્રા.ટ્રાઈકોડર્મા પાઉડરને ૫૦૦ કિગ્રા પ્રતિ હેક્ટરે છાણિયું ખાતર/વર્મીકમ્પોસ્ટ/ડીઓઈલ્ડ દિવેલી ખોળ,રાયડાના ખોળ/લીંબોળીના ખોળ સાથે ભેળવી ચાસમાં આપવું.જેનાથી ચણામાં આવતા સુકારાના રોગ સામે નિયંત્રણ મેળવી શકાય છે. એમ જિલ્લા ખેતીવાડી અધિકારી,હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!