GUJARATMULISURENDRANAGAR

મુળીના ખંપાળીયા ગામે ગેરકાયદેસર ખનન બંધ કરાવવા સરપંચની રજુઆત

મુળી મામલતદારને લેખિતમાં રજુઆત કરતાં સરપંચની રજુઆત સ્વીકાર કરવાનો નનૈયો

તા.18/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મુળી મામલતદારને લેખિતમાં રજુઆત કરતાં સરપંચની રજુઆત સ્વીકાર કરવાનો નનૈયો
મુળીના ખંપાળીયા ગામે વર્ષોથી ગેરકાયદેસર ખનીજ ખનન વહન થ‌ઈ રહ્યુ છે અને કોલસાની ગેરકાયદેસર ખાણોમાં શ્રમિકોના મોત પણ નિપજતાં હોય છે આવા બનાવો પણ બનેલ છે ત્યારે ખંપાળીયા સરપંચ જીવણભાઈ વનાણી દ્વારા મુળી મામલતદારને પત્ર લખી રજુઆત કરવા મુળી કચેરી ખાતે ગયા હતા ત્યારે મામલતદાર કચેરી દ્વારા આ રજુઆત ખાણ ખનીજ વિભાગને કરવામાં આવે તેમ જણાવ્યું હતું અને રજુઆત સ્વીકારનો નનૈયો ભણવામાં આવતા સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે કલેક્ટર સુરેન્દ્રનગર દ્વારા ખનીજ ખોદકામ થતા ગામોમાં કોલસાની ગેરકાયદેસર ખાણો પુરાણ કરવામાં આવેલી બાદમાં દરેક ગામોમાં સરપંચ તલાટીને નોટીસ કલેક્ટર દ્વારા આપવામાં આવેલ હતી કે કોઈપણ ખનીજ ખોદકામ ગેરકાયદેસર થતું હોય તો મામલતદારમાં રજુઆત કરવાની રહેશે અને ખાણ ખનીજ વિભાગ મામલતદાર પોલીસ દ્વારા ખંપાળીયા ગામે ગામસભાનું આયોજન કરવામાં આવેલ અને ત્યારે પણ અમોને મામલતદારને જાણ કરવા જણાવ્યું હતું આજે અમો સરપંચ રજુઆત કરેલ તો અમારી રજુઆત માટે આનાકાની કરી આ રજુઆત ખાણ ખનીજ વિભાગને કરવા જણાવ્યું હતું હાલ ખંપાળીયા ગામે પુરાણ કરેલી કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમતી થ‌ઈ છે રાત્રી ના સમયે કોલસાની ખાણો ચાલુ છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે જે સરકારની ખરાબા જમીન ખેડૂત ખાતેદારની જમીનમાં હોય વધુમાં સફેદમાટી ખનીજનું પણ ખોદકામ સતત ચાલુ છે તે પણ બંધ કરવામાં આવે કોઈપણ બનાવ કે જાનહાની થવા પામશે તો સરપંચ કે તલાટી ગ્રામ પંચાયત જવાબદાર રહેશે નહીં માટે તાત્કાલિક ધોરણે આ ખનીજ ખનન વહન બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!