BANASKANTHAGUJARATPALANPUR
શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર વડગામ ખાતે સવા લાખ બિલીપત્ર અર્પણ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો

25 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા આંજણા કેળવણી મંડળ પ્રમુખ રણછોડજી મંદિર ટ્રસ્ટ વડગામ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી આર.વી.પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ટ્રસ્ટી કાળુજી ડી. સોલંકી (પુવૅ.સરપંચ), પુવૅ.ટી.ડી.ઓ. કે.એચ. ઉપલાણા
પુજારી જગદીશભાઈ રાવલ, શાસ્ત્રી ચંપકભાઈ ભટ્ટ, શાસ્ત્રી પ્રવિણભાઈ રાવલ, સોના ચાંદી વેપારી એસોસિયેશન વડગામ તા.પ્રમુખ પ્રકાશભાઈ સોની, ભગવાનભાઈ ડેકલીયા, બાબુજી એમ. સોલંકી, મુળજીભાઈ ઉપલાણા સહિત ગ્રામજનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સવાલાખ બીલીપત્ર અર્પણ કરવાના શુભકાર્ય નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેનેજીંગ ટ્રસ્ટી આર.વી. પટેલે વિશ્વના તમામ જીવોના કલ્યાણ માટે વિશેષ પુજા અર્ચના કરી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ 






