GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર દાળમીલ રોડ શકિત માતાનાં મંદિરે ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો.

ક્ષત્રિય સમાજના પુરુષ આગેવાનોએ પણ એક ક્ષત્રિય યુવક ભાજપના મત તોડશે’ના શપથ લીધા.

તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ક્ષત્રિય સમાજના પુરુષ આગેવાનોએ પણ એક ક્ષત્રિય યુવક ભાજપના મત તોડશે’ના શપથ લીધા.

ગુજરાત રાજ્યમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે હવે પણ ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ છે અને હવે પરસોતમભાઈ રૂપાલ અને ટિકિટ રદ કરવાની માંગણી ઉગ્ર બનતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા એકઠા થઈ અને શપથ લેવામાં આવ્યા છે ખાસ કરીને મા શક્તિ માતાજીના સાનિધ્યમાં આ શપથ લેવડાવવામાં આવ્યા છે અને જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ભાજપને ભોગવવું પડશે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને બહેનો પણ ઉપસ્થિત રહી છે ખાસ કરીને બહેનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરસોતમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે નહીંતર અગામી દિવસોમાં જે સમાજના આગેવાનો નિર્ણય કરશે તે પ્રમાણેના કાર્યક્રમમાં રહેશે આ ટિકિટ રદ થવી જોઈએ તેવી ક્ષત્રિય સમાજની મહિલાઓની ઉગ્ર માંગ છે કારણ કે આવા વાણી વિલાસ વારંવાર કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજના યુવકો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને આ જ મામલે ખાસ પ્રકારે શપથ લેવામાં આવ્યા છે અને ભાજપના ખેસ ઉતારી નાખી અને તેને સળગાવવામાં આવ્યા છે વર્ષોથી ભાજપમાં જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ ખેસ ઉતારી નાખ્યા છે અને શપથ લીધા છે કે અગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરફથી મતદાન નહીં કરે અને એક ક્ષત્રિય યુવક દસ શપથ પણ લેવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ શક્તિ માતાજીના મંદિરમાં એકત્રિત થયા છે ટિકિટ રદ નહીં કરાય તો ભાજપ વિરોધમાં મતદાન કરવા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા ભાજપના ખેસ સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ પરસોતમ રૂપાલાના વાણી વિલાસ સામે ક્ષત્રીય સમાજની મહિલાઓ હવે લાલઘૂમ થઈ છે કોઈપણ સંજોગોમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે નહિતર ભાજપને ભોગવવું પડશે તેવો સુર ક્ષત્રિય સમાજની મહિલાઓનો ઉઠ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!