GUJARATJETPURRAJKOT

Rajko: આદર્શ આચારસંહિતાનાં અમલ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં વિવિધ જગ્યાઓએથી ૧૯,૯૦૦ થી વધુ પ્રચારાત્મક લખાણો,બેનર, કટ,આઉટ વગેરે દૂર કરવામાં આવ્યા

તા.૨૦/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ની જાહેરાતથી રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૧૯,૯૦૦ થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. સમગ્ર રાજકોટ જીલ્લામાં જાહેર જગ્યામાંથી ૧૩૫૫ દીવાલ પરના લખાણો, ૬૮૯૯ પોસ્ટરો,૫૪૩૮ બેનરો અને ૨૬૨૨ અન્ય મળીને કુલ ૧૬,૩૧૪ અને અંગત જગ્યાઓએથી ૨૩૬૭ દીવાલ પરના લખાણો, ૬૨૩ પોસ્ટરો,૨૯૯ બેનરો અને ૩૦૯ અન્ય મળીને કુલ ૩૫૯૮ કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!