વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુફડાસાફ થયા બાદ હવે ફરી એલર્ડ મોડમાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્ય સહીત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત હાંસલ કરવાનાં ઉદેશ્ય તથા પ્રદેશ ડેલિગેટ દ્વારા સંગઠન મજૂબૂત કરવા ત્રણ દિવસ સુધી જિલ્લાના ત્રણ બ્લોકમાં ફરીને પાયાના કાર્યકર સહીત આગેવાનો પાસે ફીડબેક લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં બુથ ,વોર્ડ ,અને પંચાયત થી લઈ જિલ્લા સ્તરે કોંગ્રેસને મજબૂત બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રદેશ ડેલિગેટનાં અધ્યક્ષ મનીષા પવાર ,વાંસદા ધારાસભ્ય અનંતભાઈ પટેલ, માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામીત,સહીત મહાનુભવો ની ઉપસ્થિતીમાં કાર્યકરો, પદાધિકારીઓ પાસે સેન્સ લેવાયા હતા.લાંબા સમયથી કોંગ્રેસમાં મોટા પદ ઉપર રહી ને નિષ્ક્રિય રહેનારા નેતાઓને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ કોંગ્રેસમાંથી છેડો ફાડી અન્ય પક્ષમા ગયેલા નેતાઓ માટે કોંગ્રેસ દ્વારા કાયમ માટે દરવાજા બંધ કરાવી સાચા અર્થમાં સક્રિય રહી કોંગ્રેસ માટે કામ કરનાર યુવા અને પીઢ કાર્યકર્તાઓને આગળ લાવવા કવાયત હાથ ધરી હતી.જોકે આજરોજ મળેલ કોંગ્રેસ સંગઠન ની બેઠક બાદ વિશ્વનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ માંથી ભાજપની કંઠી ધારણ કરનાર મંગળભાઈ ગાવિત ચીખલીનાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય સાથે આહવા સર્કિટ હાઉસમાં બંધ બારણે બેઠક કરી હોવાના અહેવાલ બાદ ભાજપ છોડીને કોંગ્રેસ માં ઘર વાપસી કરવાની અટકળો વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે.જોકે આ બાબતે ડાંગ જિલ્લા પ્રભારી મનીષાબેન પવાર ને કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં ગયેલા નેતાઓની ઘર વાપસી અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી અન્ય પક્ષ માં ગયેલા નેતાઓ માટે કોંગ્રેસનાં દરવાજા હંમેશ માટે બંધ કરી દેવાયા છે. કોંગ્રેસની શાખ ને તાર પર મૂકી પોતાનો સ્વાર્થ માટે પક્ષ છોડનાર ને બદલે પાર્ટીના વફાદાર યુવા અને સક્રિય નેતાઓને આગળ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.ત્યારે કોંગ્રેસ પ્રભારી મનીષાબેન પવારનાં નિવેદનથી ઘર વાપસી કરવા તલપપ્પડ નેતાઓનો મનસૂબા પર પાણી ફરી વળતા રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે ડાંગ જિલ્લામાં આદિવાસી ઓને રોજગારી, પીવાનું પાણી ,આરોગ્ય ,શિક્ષણ જેવા મહત્વની સુવિધાઓના સળગતા પ્રશ્નો માટે કોંગ્રેસ કેવા મંથન કરી લોકોને સુવિધાઓ આપવા સફળ રહે છે કેમ તે આવનારા દિવસોમાં માલુમ પડસે..