GUJARATJUNAGADHKESHOD

સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં શૌચાલયો,મુખ્ય માર્ગ તેમજ શાકભાજી માર્કેટમાં સફાઇ અભિયાન…

સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં શૌચાલયો,મુખ્ય માર્ગ તેમજ શાકભાજી માર્કેટમાં સફાઇ અભિયાન...

  રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હિ સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ અંતર્ગત માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ પી વાજા તથા સેક્રેટરીશ્રી અને આસી.કમિશનર(ટેક્ષ)શ્રી તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલીયાના માર્ગદર્શન મુજબ સેનિ.સુપરવાઈઝરશ્રી મનીષ ભાઈ દોશી, રાજેશભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ ચુડાસમા અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ,જેમાં આજ રોજ તા:૧૮/૧૦/૨૦૨૪ના રોજ શહેરના વોર્ડ નં.૧ થી ૧૫મા આવેલ શૌચાલયો,શહેરના મુખ્ય માર્ગ ની સફાઈ, વોર્ડ નં.૧ રાજકોટ હાઇવે અને માર્કેટિંગ યાર્ડ રોડ ખાતે તથા વોર્ડ નં.૩ રેલ્વે સ્ટેશન રોડ ઉપર સફાઈ અને ધૂળ કસ્તર સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું તેમજ વોર્ડ નં.૮ મેઘરાજ માર્કેટ વિસ્તાર, વોર્ડ નં.૫ અને ૭ ઝાંઝરડા રોડ ગરનાળા અને મુખ્ય ઝાંઝરડા રોડ થી ચોકડી સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. તેમજ શહેરમાં સફાઈ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને વોર્ડનં.૬ અને ૧૧ માં સ્વછતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રચાર પ્રસાર અર્થે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!