BANASKANTHAGUJARAT

થરા યાર્ડની ચુંટણીમાં ભાજપની પરીવર્તન પેનલનો ભવ્ય વિજય..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપ સામે ભાજપની પરીવર્તન પેનલે બાજી મારી...

થરા યાર્ડની ચુંટણીમાં ભાજપની પરીવર્તન પેનલનો ભવ્ય વિજય..
————————————–
થરા માર્કેટયાર્ડમાં ભાજપની પેનલ સતારૂઢ…
—————————————-
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપ સામે ભાજપની પરીવર્તન પેનલે બાજી મારી…
—————————————-
ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતી થરા માર્કેટયાર્ડ ની સામાન્ય ચૂંટણી તા. ૦૧/૦૭/૨૦૨૫ ને સોમવારે સવારે ૯ કલાક થી સાંજે પાંચ કલાક સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં થરા માર્કેટયાર્ડના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલની પેનલ અને ભાજપ પ્રેરીત પરીવર્તન પેનલ વચ્ચે રસાકસીભર્યા માહોલમાં મતદાન યોજાયુ હતુ.થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી માટે સોમવારે વેપારી વિભાગના ૪અને ખેડૂત વિભાગના ૧૦ એમ ટોટલ ૧૪ સભ્યો માટે મતદાન યોજાયું હતું. જેમાં ભાજપની પરિવર્તન પેનલ ના ઉમેદવાર અને કાંકરેજ તાલુકા ભાજપના પૂર્વપ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત પરીવર્તન પેનલના હોદ્દેદારોની ભવ્ય જીત થઈ હતી. જયારે પરિવર્તન પેનલને સામે બ. કાં.જિલ્લાનામજબૂત સહકારી આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલની કારમી હાર થઈ હતી. આમ બંને પેનલોએ ૧૪-૧૪ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.અને બન્ને પેનલોના ઉમેદવારોમાંથી પરીવર્તન પેનલના ઉમેદવારોએ જીત બાદ આભાર વ્યક્ત કર્યો હતો.મતગણતરીમાં મતદારોએ પરિવર્તન પેનલને પસંદ કરી હતી.જયારે અણદાભાઈ પટેલના જૂના ડિરેક્ટરોને ફરી પસંદ ન કરતાં પરિણામ જાહેર થતાં ભાજપની પરીવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો.થરા માર્કેટયાર્ડની ચુંટણીની મતગણતરી ડી.વી. ગઢવી જીલ્લા રજીસ્ટાર અને ચુંટણી અધિકારી થરા માર્કેટયાર્ડ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ખેડુત વિભાગમાં બુથ-૧૦ અને વેપારી વિભાગમાં બુથ-૧ હતુ.જેમાં ખેડુત વિભાગના ૪૮૫૬ માંથી ૪૭૧૩ મતદાન થયુ હતુ.જે ૯૭.૦૫ % થયુ હતુ. અને વેપારી વિભાગમાં ૬૩ મતદારમાંથી ૬૨ મતદારોએ મતદાન કર્યુ જે ૧૦૦% મતદાન થયુ હતુ.આ મતગણતરીમાં પોલિસ તંત્રમાં ૧-એ.એસ.પી. સુબોધ માનકર,૬-પી.આઈ. કે.બી.દેસાઈ, એસ.એમ.પાંચીયા,એ.બી.ભટ્ટ,એમ.બી.કોટવાલ,
એ.ટી.પટેલ,એસ.બી.રાજગોર સહિત ૧૨-પી.એસ. આઈ.,૧૧૦-પોલિસ કોન્સ્ટેબલ દ્વારા બોડીવોર્ન કેમરા દ્વારા ખડેપગે રહી ચાંપતો બંદોબસ્ત પુરો પાડયો હતો. અને ચુંટણીનુ મતગણતરી શાંતિપુર્ણ માહોલ માં સંપન્ન થતાં હાશકારો અનુભવ્યો હતો.પરીણામ બાદ ભાજપ ની પરીવર્તન પેનલે જીત નો ઉત્સવ બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ,મહામંત્રી રમેશભાઈ જોષી,તાણાના પૂર્વ સરપંચ ગીરીશભાઈ પટેલ,ડી.ડી. જાલેરા,કરશનભાઈ જોષી સહીત ભાજપા કાર્યકરોએ સાદાઈથી મનાવી ખુશી વ્યકત કરી હતી. અને જીતને વધાવી લીધી હતી.
—————————————
પરીવર્તન પેનલના ખેડુત વિભાગ ના વિજેતા ઉમેદવારો:-

૧, ચૌધરી બાબુભાઈ માલાભાઈ
૨, ચૌધરી ઈશ્વરભાઈ અણદાભાઈ
૩, પટેલ ભગવાનભાઈ કરશનભાઈ
૪, પટેલ લક્ષ્મણભાઈ નાનજીભાઈ
૫, દેસાઈ પ્રવિણભાઈ અમૃતભાઈ
૬, ઠાકોર રામાજી કપૂરજી
૭, દેસાઈ મગનભાઈ હરદાસભાઈ
૮.જાદવ ભેમાજી ભોમાજી
————————————-
પુર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલના ખેડુત વિભાગના વિજેતા ઉમેદવારો:-
૧,ચૌધરી અણદાભાઈ રામાભાઈ
૨,ચૌધરી કરશનભાઈ રમાભાઈ
—————————————-
ભાજપની પરીવર્તન પેનલના વેપારી વિભાગના વિજેતા ઉમેદવારો:-

(૧) અખાણી કિરીટકુમાર અમૃતલાલ
(૨) જોષી રમેશભાઈ નરભેરામભાઈ
(૩) પટેલ નાગજીભાઈ ભેમાભાઈ

જયારે અણદાભાઈ પટેલની પેનલના વેપારી વિભાગના વિજેતા ઉમેદવાર:-

(૧) રાવલ મુકેશભાઈ સોમાભાઈ વિજેતા બન્યા હતા.

આમ પરિવર્તન પેનલના ૧૧ અને અણદાભાઈ પટેલની પેનલના ૩ એમ ટોટલ ૧૪ ઉમેદવારો જાહેર થયા હતા….

નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!