GUJARATVALSAD

ગુજરાત, મહારાષ્ટ્ર અને દાનહના આદિવાસી કુકણા સમાજનું રાષ્ટ્રીય વૈચારિક મહાસંમેલન પાલઘરમાં યોજાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આદિવાસી સાંસ્કૃતિક વિરાસત સમાન તારયા-કાહળી નૃત્ય, માદળનૃત્ય અને ઠાકરે નૃત્ય નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા :

આદિવાસી સમાજની સાંસ્કૃતિક સાહિત્ય ક્વીઝ ૨૦૨૫નું વિમોચન : સમાજના કુંટુંબ કબીલાના આઇડી કાર્ડ બનાવાયા :

આદિવાસી કુકણા સમાજ એટલે પ્રકૃતિ પૂજક. સંસારના સમસ્ત તત્વને ઋણાંનુભાવે પુજનારો સમાજ છે. વિશ્વ સમુદાયને સંદેશ આપવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના કુકણા સમાજના બાંધવો ભેગા મળી રાષ્ટ્રિય વૈચારિક મહા સંમેલનનું આયોજન કર્યુ હતું.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જવ્હાર ખાતે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આયોજિત આ મહાસંમેલનમાં આદિવાસી ભગવાન અને શહીદોને યાદ કરી ગુજરાતના સંગઠનના પ્રણેતા સ્વ.છગનભાઈ ચૌધરી, જશુભાઈ પાડવીને યાદ કરી પ્રકૃતિ પૂજક વઘઈના ભગત એવા ગમજુભાઈ, નાશિકના ભગત રમેશભાઈ ગાંવિત દ્વારા પ્રકૃતિ પૂજામાં જુદા જુદા રાજ્યોમાંથી લાવવામાં આવેલા અનાજ સાથે ફળ અને વનસ્પતિ સાથે વાજિંત્રો અને ગવરાઇની ટોપલીઓ મૂકી તેમની વિધિવત કેન્દ્રીય કોરના તમામ સભ્યોની હાજરીમાં વડીલો અને અગ્રણીઓ સાથે પ્રકૃતિ પૂજા કરવામાં આવી હતી.
ત્રણે રાજ્યોના મુખ્ય વક્તાઓ તેમજ રીતી રિવાજો પ્રદર્શન સાથે સંસ્કૃતિને ઉજાગર કરવા અસલ વાંજીત્રો સાથે માવલી દેવી, ડોગરદેવ, ઠાકરે નૃત્ય, ડાંગી નૃત્ય, કાહળી નૃત્ય, લગ્નની પરંપરાવાળુ નૃત્ય તેમજ સૌથી કઠિન અને પ્રકૃતિ સાથે જોડાયેલા માવલી દેવીની સ્ટેજ ઉપર ભગતો દ્વારા ઘાંઘળી સાથે કથાના માધ્યમ દ્વારા દેવોને આહવન સાથે દેવી-દેવતાઓની શક્તિ થકી અગ્નિ ઉપર ચાલતા દૃશ્યો અને સૌથી અઘરા એવી કાંટાવાળી વનસ્પતિ એવી કરમદાના કાંટા ઉપર ચાલવાવાળા ભગતોએ આજે ખરેખર કુકણા સમાજને અસલ વાસ્તવિક સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા હતા. નવાનગરના માદળનૃત્ય ડાંગના માહલા કોલેજ અને પાવરી નૃત્ય, દેરા વાધ કલાકારો તાપીના વ્યારાના કલાકાર દ્વારા  ખેતી અને લગ્નની રીત રીવાજનું નૃત્ય દ્વરા તારયા-કાહળી નૃત્ય વાંસદા વાડીચોંઢાના કલાકારો તેમજ કપરાડાના માવલીદેવના ભાગતો અને ઠાકરે નૃત્ય પદર્શિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર રાષ્ટ્રિય મહાસંમેલનમાં આવેલાં કુકણા સમાજની આદિવાસી સમાજની આદિવાસી સમાજની સાંસ્કૃતિક સાહિત્ય ક્વીઝ ૨૦૨૫ નું વિમોચન કરવામાં આવ્યુ તેમજ સમાજના કુંટુંબ કબીલાની આઇડી કાર્ડ બનાવવામાં આવ્યા તેમજ હવે પછી દરેક આદિવાસી સમાજમાં લગ્નના સર્ટીફિકેટ દરેક ગામના ગામપંચ દ્વારા આપવા સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા ધ્વારા કર્યક્રમમાં વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યુ, તેના થકી સંસ્કૃતિ,  શૈક્ષણિક સાથે આર્થિક રીતે ઉપયોગી એવા તમામ મુદ્દાઓને સમાવેશ કરવામાં આવ્યો હતો. આ  કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા ગુજરાતના વક્તા જગદીશ ખાંડરા અને હીના કુરકુટિયાએ પોતાના વિચારો રજુ કર્યા હતા. ગુજરાતના વિવિધ જિલ્લામાંથી રજૂ થયેલા કંસરી નૃત્ય, માવલીપૂજા, ઠાકરે નૃત્ય, ડાંગી નૃત્ય જેવી ઉત્કૃષ્ટ કલા કૃતિને પ્રદર્શિત કરનાર સૌ કલાકાર મિત્રોને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યના કેન્દ્રીય કૌરના સભ્યોની ટીમ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય કક્ષાના આ મહાસંમેલનને સફળતા અપાવવામાં સહયોગ આપ્યો હતો. આ સંમેલનને સફળ બનાવવા નાણાંકીય ભંડોળ એકત્ર કરવાથી માંડીને સાહિત્ય  સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે યોગદાન આપનાર ગુજરાત રાજ્યની કોર કમિટીના સભ્યો, જીલ્લા-તાલુકા પ્રમુખ સભ્યો સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
આ મહાસંમેલનમાં ગુજરાત રાજ્યના કેન્દ્રીય કૌરના સભ્યો શ્રી જે.બી.પવાર, કાંતિભાઈ કુંનબી, એમ બી.માહલા, ભરતભાઈ ભોયે, નવસારી જગદીશભાઈ પટેલ, ડાહ્યાભાઈ વાઢુ, નવનીતભાઈ ચૌધરી, મનોજભાઇ ગાંવિત,  આર.ડી.ભગારીયા, ધનેશભાઇ માહલા, ભગવતીબેન, વલસાડના ડો.દિનેશભાઇ ખાંડવી, ગણેશભાઇ ગાંવિત, વીણાબેન ભીંસરા, દક્ષાબેન ચૌધરી, નવીનભાઇ ભીંસરા, ચેતનભાઇ ચૌધરી, મણીભાઇ ભુસારા, ડાંગના ગમજુભાઈ ચૌધરી, ભાવનાબેન ઠાકરે તેમજ પંકજભાઈ પાલવે, નીલેશભાઈ ગાંવિત, ઘનાશારામ ભોયે, પંકજભાઈ બાગુલ, ઈશ્વરભાઈ માળી, ગીતાબેન ગાંગુડા, રીતેશભાઈ પટેલ, શ્યામભાઈ માહલા તેમજ વ્યારામાંથી ભીમસિંગભાઈ કોકણી, તુલસીરામ ભોયે, વિનયભાઈ કોકણી રાજેશભાઈ કોક્ણી વિગરે સમગ્ર ગુજરાતની ટીમ ઉપસ્થિત હતી કાર્યક્રમને રાષ્ટ્રીય લેવલના  વૈચારિક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!