ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર, સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩,૮૧૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
તા.08/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
બોર્ડનું પરિણામ ૮૩.૦૮%, સુરેન્દ્રનગર જિલ્લાનું પરીણામ ૮૫.૬૩%
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૫નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૧૩,૮૧૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ગત વર્ષની સરખામણીએ વધારા સાથે જિલ્લાનું પરિણામ ૮૫.૬૩% આવ્યું છે વર્ષ ૨૦૨૪માં જિલ્લાનું પરિણામ ૮૩.૮૩% નોંધાયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ ૧૦ ના કુલ ૧૬,૪૪૧ વિદ્યાર્થીઓમાંથી ૧૬,૧૨૮ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૬૨૫ વિદ્યાર્થીઓ A1, ૧૯૪૪ વિદ્યાર્થીઓ A2, ૨૮૪૩ વિદ્યાર્થીઓ B1, ૩૪૯૮ વિદ્યાર્થીઓ B2, ૩૨૬૨ વિદ્યાર્થીઓ C1, ૧૫૫૮ વિદ્યાર્થીઓ C2, ૮૦ વિદ્યાર્થીઓ D ગ્રેડમાં સાથે પાસીંગ માર્ક સહિતના એમ કુલ ૧૩,૮૧૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, ધ્રાંગધ્રા કેન્દ્ર પર ૧૧૨૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૯૩૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ કેન્દ્રનું પરિણામ ૮૨.૮૭% આવ્યું છે લીંબડીમાં ૧૩૪૬ વિદ્યાર્થીઓમાંથી ૧૧૪૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૮૪.૭૭%, સુરેન્દ્રનગરમાં ૩૦૪૮ વિદ્યાર્થીઓમાંથી ૨૮૪૭ પાસ થઈ ૯૩.૪૧%, વઢવાણમાં ૧૯૯૭ વિદ્યાર્થીઓમાંથી ૧૭૬૩ વિદ્યાર્થીઓ પાસ થઈ ૮૮.૨૮%, પાટડીમાંથી ૧૦૬૨ વિદ્યાર્થીઓમાંથી ૯૨૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૮૭.૩૮%, વણા કેન્દ્રમાં ૧૬૫ વિદ્યાર્થીઓમાંથી ૧૨૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૭૩.૩૩%, થાનગઢ કેન્દ્રમાંથી ૬૩૪ વિદ્યાર્થીઓમાંથી ૪૨૨ વિદ્યાર્થીઓ પાસ થઈ ૬૬.૫૬% પરિણામ મેળવ્યું હતું મુળી કેન્દ્રમાંથી ૪૪૪ વિદ્યાર્થીઓમાંથી ૩૬૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૮૨.૮૮%, સાયલા કેન્દ્ર પરથી ૮૦૨ વિદ્યાર્થીમાંથી ૬૩૭ વિદ્યાર્થીઓ પાસ થતા ૭૯.૪૩%, લખતર કેન્દ્ર પરથી ૪૭૯ વિદ્યાર્થીઓમાંથી ૪૦૮ વિદ્યાર્થીઓ પાસ થતા ૮૫.૧૮%, ચુડા કેન્દ્ર પરથી ૫૨૬ વિદ્યાર્થીઓમાંથી ૪૧૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૭૮.૩૩%, ચોટીલા કેન્દ્ર પરથી ૧૪૪૬ વિદ્યાર્થીઓમાંથી ૧૨૧૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૮૩.૮૨%, માલવણ કેન્દ્ર પરથી ૩૮૫ વિદ્યાર્થીઓમાંથી ૩૭૫ વિદ્યાર્થીઓ પાસ થઈ ૯૭.૪૦% સાથે જિલ્લામાં સૌથી વધુ પરિણામ મેળવ્યું છે રાજસીતાપુર કેન્દ્રના ૫૨૬ વિદ્યાર્થીઓમાંથી ૪૬૨ વિદ્યાર્થીઓ પાસ થતાં ૮૭.૮૩%, ઝીંઝુવાડા કેન્દ્રના ૨૦૮ વિદ્યાર્થીઓમાંથી ૧૧૩ વિદ્યાર્થીઓ પાસ સાથે સૌથી ઓછું પરિણામ ૫૪.૩૩% આવ્યું છે સરા કેન્દ્રના ૩૪૬ વિદ્યાર્થીઓમાંથી ૨૭૨ ઉત્તીર્ણ થતાં ૭૮.૬૧%, ખોલડીયાદ કેન્દ્રના ૩૩૦ માંથી ૩૧૪ વિદ્યાર્થીઓ ૯૫.૧૫% અને ધજાળા કેન્દ્રના ૨૮૧ વિદ્યાર્થીઓમાંથી ૨૬૭ ઉત્તીર્ણ થતા ૯૫.૦૨%, સોલડી કેન્દ્રના ૪૬૨ વિદ્યાર્થીઓમાંથી ૪૦૫ વિદ્યાર્થીઓ પાસ થતા ૮૭.૬૬%, શિયાણી કેન્દ્રના ૨૩૬ વિદ્યાર્થીઓમાંથી ૧૯૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૮૨.૬૩% પરિણામ ૮૨.૮૭% આવ્યું છે.