જોડીયાની પ્રતિષ્ઠીત હુન્નરશાળા ફરી ઝળકી
શેઠ કાકુભાઇ જીવણદાસ સ્રી હુન્નર ઉદ્યોગ શાળા,જોડીયા સંચાલિત કન્યા વિધાલયનું ધો. ૧૦ની પરીક્ષાનું ૭૮% ઝળહળતું પરિણામ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જીલ્લાના જોડીયાની શાળાએ ઉત્કૃષ્ટ પરીણામ સાથે ખૂબજ અભિનંદનીય પ્રયાસ કર્યો છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી એસ.એસ.સી. ધો ૧૦ની પરીક્ષામાં જાણીતી સેવાભાવી, સામાજિક, મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નરઉદ્યોગ શાળા, જોડિયા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર ૬૪ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ૫૦ વિદ્યાર્થિનીઓ ઊતીર્ણ થતા શાળાનું ૭૮.૧૩% પરિણામ આવ્યું છે.
શાળામાં અભ્યાસ કરતી ઝાલા
નિકિતા મનસુખભાઈ ૫૦૩ ગુણ મેળવી,૮૮.૪૬ પર્સન્ટાઈલ સાથે પ્રથમ, મકવાણા વૈશાલી સોમજીભાઈ ૫૦૦ ગુણ મેળવી ૮૮.૮૬ પર્સન્ટાઈલ સાથે દ્વિતિય અને નોયડા આરિફભાઈ રહીશા અને મકવાણા શ્રુતિ કનુભાઈ ૪૫૦ ગુણ મેળવી ૭૬.૮૮ પર્સન્ટાઈલ
સાથે તૃતીય ક્રમે આવેલ છે.
સંસ્થાના શાળાના ટ્રસ્ટીગણે આચાર્યા શ્રી ક્રિષ્નાબા ચુડાસમા, શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. ઊતીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.
આ વિગતો આપતા ટ્રસ્ટી પરીવારના તેમજ રીનાઉન્ડ જર્નાલીસ્ટ શ્રી પાર્થ સુખપરીયા એ જણાવ્યુ હતુ કે ટ્રસ્ટીઓની લાગણી ભીની દેખરેખ શિક્ષકો દ્વારા વાત્સલ્ય ભાવ સાથે શિક્ષણ અને વિદ્યાર્થીનીઓની સખત મહેનતથી આવુ નોંધપાત્ર પરીણામ આવ્યુ છે