- *દેડિયાપાડા તાલુકાના નિંઘટ અને નિવાલ્દા ગામે સંકલ્પયાત્રા યોજા
તાહિર મેમણ :- ડેડીયાપાડા – એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ગત તારીખ 15મી નવેમ્બરથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગામે ગામ ભ્રમણ કરી રહી છે. દેડિયાપાડા તાલુકામાં આજે નિંઘટ અને નિવાલ્દા ગામે આ યાત્રા આવી પહોંચી હતી.
નિંઘટ અને નિવાલ્દા ગામના સરપંચઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના સભ્યો, આગેવાનો સહિત ગ્રામજનો પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાગૃત છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી ગ્રામજનોને આયુષ્માન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)નો લાભ, ધિરાણ-સહાય, આરોગ્ય કેમ્પ, આંગણવાડી પોષણ કેમ્પ ઊભા કરીને ગ્રામજનોને યોજનાકીય લાભ અને માહિતી આપી હતી. ઉપરાંત પેમ્પલેટ્સ, બેનર જેવી આઈઈસી પ્રવૃત્તિ દ્વારા લોકજાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.