KAPRADAVALSAD

વલસાડ જિલ્લાની ૬૩ કંપનીઓમાં મતદાન જાગૃત્તિ પવૃત્તિ હાથ ધરાઈ, કપરાડાના વડખંભામાં પ્રતિજ્ઞા લેવાઈ

કામદારોને પોતાના મતાધિકારનું મહત્વ સમજાવી તેમને મતદાનના દિવસે રજા મળશે તે વિશે પણ વાકેફ કરાયા

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ એપ્રિલ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે વલસાડ જિલ્લાની વાપી, ઉમરગામ, પારડી, સરીગામ અને ગુંદલાવ જીઆઈડીસીમાં કામ કરતા કામદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ મેનેજમેન્ટ કમિટીના નોડલ અધિકારીશ્રી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને ટીમ દ્વારા જીઆઈડીસીની વિવિધ કંપની અને ફેક્ટરીઓમાં કામ કરતા કામદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે તા. ૧૫ એપ્રિલને મંગળવારે કપરાડા તાલુકાના વડખંભા ગામમાં આવેલી બ્રાસ કોપર એન્ડ એલોય લિ. કંપનીમાં કામદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સાથે જ તેઓને મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહી તે ચેક કરવા, મતદાર કઈ તારીખે અને કયાં મતદાન કરવા જવાનું છે, બુથનું નામ અને નંબરથી માહિતગાર હોવા જોઈએ અને તા. ૭ મે ના રોજ મતદાન કરવા માટે રજા મળશે તે બાબતે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કામદારોને ‘‘હું અવશ્ય મતદાન કરીશ’’ એ અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. વલસાડ જિલ્લાની કુલ ૬૩ જેટલી કંપનીઓમાં કામદારોને મતદાન માટે જાગૃત કરવા સ્વીપ એક્ટિવિટી હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાય રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!