GUJARAT

વિજાપુર મુસ્લીમ સમાજે ચક્કર વિસ્તાર માં બે મિનીટ મૌન પાળી જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે આંતકવાદી ઓ ના હુમલા મા મૃત્ય પામેલ ૨૭ મૃતકો ને શ્રદ્ધાંજલી આપી

કોવિજાપુર મુસ્લીમ સમાજે ચક્કર વિસ્તાર માં બે મિનીટ મૌન પાળી જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે આંતકવાદી ઓ ના હુમલા મા મૃત્ય પામેલ ૨૭ મૃતકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી
આંતકવાદીઓ સામે કડક મા કડક પગલાં ભરવા ની માંગ કરી
મુસ્લીમ સમાજ ના યુવકોએ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

oppo_0

વિજાપુર મુસ્લીમ સમાજ દ્વારા ચક્કર વિસ્તાર માં માનવ સાંકળ રચી બે મીનીટ મૌન પાળી જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે આંતકવાદી હુમલા મા મૃત્યુ પામેલ ૨૭ લોકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી મૃતકો ના પરીવાર માટે ધૈર્ય સબ્ર માટે પ્રાર્થના કરી હતી. ચક્કર થી ખત્રીકૂવા જૂની મામલતદાર કચેરી બજાર હૈદરી ચોક થઈને દોશીવાડા વૈદ્યનો માઢ ફરી પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ ના નારા લગાવ્યા હતા. આ અંગે મુસ્લીમ સમાજ ના અગ્રણી તલત મહેમુદ સૈયદે જણાવ્યું હતુ કે ઇસ્લામ ધર્મ કદી આંતકવાદ ને સમર્થન કરતું નથી જમ્મુ કાશ્મીર પહેલગામ ગામ માં બનેલી આ ઘટના ને સમગ્ર મુસ્લીમ સમાજ સખ્ત શબ્દોમાં આ દુઃખદ ઘટના ને વખોડી કાઢીએ છીએ અને જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે થયેલા આંતક વાદી હુમલા મા નિર્દોષ ૨૭ ભારતીય નાગરિક ના મોત થી દુઃખ ની લાગણી વ્યક્ત કરી હતી. આંતકવાદીઓ સામે કડક પગલાં ભરી સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. જ્યારે યુવા અગ્રણી મોહમ્મદ તંજીલ એ જણાવ્યું હતુ કે આ દુઃખદ ઘટના છે. અમારી સંવેદના મૃતકો ના પરીવાર સાથે છે. આપણા ભારત દેશના વડાપ્રધાન પાકિસ્તાન ના આવા બદ ઈરાદાઓ અને પાકિસ્તાન આંતકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ ના યુવકોએ નારા લગાવ્યા હતા. મુસ્લીમ યુવકોએ જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે બનેલી દુઃખદ ઘટના ને વખોડી કાઢી હતી.

Back to top button
error: Content is protected !!