GUJARAT ગુજરાતના ચાર મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
GUJRAT ગુજરાતના ચાર મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ચાર મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમને રૂા.૫,૦૦,૦૦૦/-, દ્રિતિયને રૂા.૩,૦૦,૦૦૦/- અને તૃતિય ક્રમને રૂા.૧,૫૦,૦૦૦/- લેખે પુરસ્કાર આપવામાં આવશે.
તેમજ ચાર મહાનગર સિવાયના ૨૯ જીલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫ (પાંચ)ની પ્રોત્સાહન તરીકે પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કારઆપવામાં આવશે. જેમાં પણ પ્રથમ ક્રમને રૂા.૫,૦૦,૦૦૦/-, દ્રિતિયને રૂા.૩,૦૦,૦૦૦/- અને તૃતિય ક્રમને રૂા.૧,૫૦,૦૦૦/- તથા પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે રૂા.૧,૦૦,૦૦૦/- લેખે પુરસ્કાર ચૂકવવામાં આવશે. અમ કુલ મળીને રૂા.૫૨,૫૦,૦૦૦/-ના પુરસ્કાર રાજય સરકારશ્રી તરફથી ચૂકવવામાં આવશે.
આ પ્રતિયોગીતા માટે ચાર મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેકટરશ્રીના અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિની રચના કરી બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં બનેલ મુલ્યાંકન સમિતિ દ્રારા ચાર મહાનગરમાં બનાવવામાં આવેલ ગણેશ પંડાલોમાંથી (૧) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (૨) સામાજિક સંદેશ (૩) ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી) (૪) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ (૫) સ્વદેશી (૬) પંડાલ સ્થળની પસંદગી(ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ ન થાય) (૭) સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી (૮)ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલની પસંદગી કરી એક થી ત્રણ ક્રમના વિજેતા કરવામાં આવશે.તેમજ અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન સમિતિ દ્રારા મહાનગરોમાં જણાવ્યા મુજબની વિગતો ધ્યાને લઇ એક બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે. કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ (ત્રણ) વિજેતા તેમજ અન્ય ૫(પાંચ)ને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,મોરબી સરનામું:- રૂમ નં-૨૫૭/૨૩૬, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ –મોરબી -૨ ૩૬૩૬૪૨ ખાતેથી મેળવી તા.૨૮/૦૮/૨૦૨૮ બપોરે ૧૨:૦૦ કલાક સુધી માં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ.