NATIONAL

કોલકાતા આરજી કર મેડિકલ કૉલેજ દુષ્કર્મ-હત્યા કેસ, આરોપી સંજય રોયને આજીવન કેદની સજા

કોલકાતાના ટ્રેઇની ડોક્ટર દુષ્કર્મ-હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે 18 જાન્યુઆરીએ આરજી કર દુષ્કર્મ-હત્યા કેસમાં સંજય રોયને દોષિત ઠેરવ્યા હતા અને સોમવારે તેમની સામે સજાની જાહેરાત કરી હતી. કોર્ટે દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી. તપાસ એજન્સી CBI ના વકીલે કોર્ટ પાસે મૃત્યુદંડની માંગણી કરી હતી.

કોલકાતા ઘટનાની તપાસ કરી રહેલી CBI એ કોર્ટ પાસે માંગ કરી હતી કે ગુનેગાર સંજય રોયને મૃત્યુદંડની સજા આપવામાં આવે. કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ CBI દ્વારા ચલાવવામાં આવતા સમગ્ર દેશ હચમચી ગયો છે. જણાવી દઇએ કે, આરજી કર દુષ્કર્મ-હત્યા કેસની સુનાવણી દરમિયાન, સિયાલદાહ કોર્ટના ન્યાયાધીશે દોષિત સંજય રોયને કહ્યું કે, મેં તમને ગયા દિવસે કહ્યું હતું કે તમારા પર કયા આરોપો મૂકવામાં આવ્યા છે અને તમારા પર કયા આરોપો સાબિત થયા છે.

સીબીઆઇના વકીલે આ કેસને રેરેસ્ટ ઑફ ધ રેર કેસ ગણાવી આરોપીને ફાંસીની સજાની માગ કરી હતી. જેનો આરોપીના વકીલે ભારે વિરોધ કર્યો હતો. તમામ આખરી દલીલો બાદ જજ અન્રિમાન દાસને આ કેસ રેરેસ્ટ ઑફ ધ રેર કેસ ન હોવાનું લાગતા આરોપીને ફાંસીની સજા ફટકારી નથી. સીબીઆઇએ કોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા, આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજે મહત્ત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હતા. જજે પીડિતાના પરિવારને આ મામલે કોઈ વળતર જોઈતું ન હોવાનું જણાવ્યું હતું.

સજા સંભાળતા પહેલાં જજે સંજયને પૂછ્યું હતું કે, ‘તારા ઉપર દુષ્કર્મ અને હત્યાના તમામ આરોપો સાબિત થઈ ચૂક્યા છે. સંભવિત સજા વિશે શું કહેશો ?’ જેના પર સંજયે કહ્યું હતું કે, ‘મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. હું હંમેશા રૂદ્રાક્ષની માળા પહેરુ છું. જો મેં ગુનો કર્યો હોત તો ક્રાઇમ સીન પર જ મારી માળા તૂટી ગઈ હોત. મને બોલવા જ દીધો નથી. અનેક વખત કાગળો પર દબાણપૂર્વક હસ્તાક્ષરો કરાવી લેવામાં આવ્યા છે.’

પીડિતાના પરિવારે આરોપી સંજય રોયને આકરામાં આકરી સજા આપવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં અગાઉ કહ્યું હતું કે, ‘ફાંસીના બદલે વૈકલ્પિક સજા આપવા વિચારણા કરી શકે છે.’

Back to top button
error: Content is protected !!