GUJARATKOTDA SANGANIRAJKOT

Rajkot: કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ગ્રામજનોએ સ્નેહપૂર્વક સ્વાગત કર્યું

તા.૧૬/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૧૫૦થી વધુ ગ્રામજનોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો

Rajkot: ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરના ગામોગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથના આગમન થઈ રહ્યા છે. કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ગ્રામજનોએ સ્નેહપૂર્વક સ્વાગત કર્યું હતું. આ તકે પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલા નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનો ૧૫૦થી ગ્રામજનોએ લાભ લીધો હતો, તેમજ સરકારશ્રીની આઈ.સી.ડી.એસ. યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સોઈલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો.

નાના માંડવા ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. ૧૦૦ ટકા જન ધન યોજના સંતૃપ્ત થયેલ ગ્રામપંચાયત, તદુપરાંત હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં નાના માંડવા ગામના સરપંચશ્રી કંચનબેન સોયલીયા, તાલુકા પંચાયતના સભ્યશ્રી કિર્તીબા જાડેજા, સ્વાગત સમિતિના સભ્યશ્રી શ્રધ્ધાબેન મકવાણા, શ્રી છગનભાઈ સોલંકી, શ્રી શિતલબેન, શ્રી રમાબેન વોરા, પ્રવિણભાઈ ચૌહાણ, અગ્રણીશ્રી હરેશભાઈ પરમાર, સહકારી મંડળીના પ્રમુખશ્રી લવાભાઈ વોરા સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!