વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્રસિંહ માંગરોલા – ઓલપાડ
મહેન્દ્રસિંહ માંગરોલા – ઓલપાડ
ઓલપાડ : ઓલપાડ – હાથીસા નજીક આવેલ અતિ પૌરાણિક મંદીર ખૂંટાઈ માતા તથા કુંતામાતાની 15 મી સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.
આ સાલગીરી નિમિત્તે નવચંડી યજ્ઞમા 16 જેટલા દંપતિઓએ ભૂદેવોની ઉપસ્થિતિમા શાસ્ત્રોકવિધિ સાથે પૂજા અર્ચના કરવામા આવી હતી. આ પ્રસંગે ઓલપાડ ટાઉન સહિત આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામા જનમેદની ઉમટી પડ્યા હતા.અને માતાજીની આરતી અને દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતૉ. સાલગીરી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંશ્રી ખોડિયાળ બાળા રાસ મંડળ દ્વારા કૃષ્ણ લીલા,નાટક , રાસ ગરબા બેટી બચાવો અભિયાન સહીતના કાર્યક્રમ યોજાયા હતા.