BANASKANTHADEESA
ભીલડી જૈન દેરાસર ખાતે પ્રાચીન ત્રંબાવટી નગરીના રાજા દેવાધીદેવ પરમતારક પરમાત્મા શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ દાદાની જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવી
જન્મ કલ્યાણક નિમિત્તે નીશ્રા પ્રદાન ભક્તિ યોગાચાર્ય આચાર્યશ્રી યશોવિજય સૂરી મહારાજ, શ્રી આચાર્ય શ્રી મુનિચંદ્રસુરી મહારાજ સા દેવા, શ્રી રાજ્ય પુણ્ય માં સા, આચાર્ય ભગવત શ્રી ભાગ્યેશ વિજયસુરીજી મા શ્રમણ- શ્રમણી ભગવતો ની હાજરીમાં ૧૦૦૦ આરાધકો સાથે અઠમ તપની તપશ્ચર્યા કરવામાં આવી આ અઠમ તપનો સંપૂર્ણ લાભાર્થી લાભ લેનાર ગરાબડી નિવાસી મહેતા લીલાબેન શાંતિલાલ હાલચન્દ પરિવારે લાભ લીધો હતો અજીત મહેતાએ જણાવ્યું હતું કે આ સ્ટેજ પ્રોગ્રામ પ્રસંગને સુપ્રસિદ્ધ સંગીતકાર નિલેશભાઈ રાણાવત દ્વારા ભક્તિ કરાવેલ હતી આ મહોત્સવમાં રોજ દેરાસરમાં પ્રભુને ને હીરા જડિત આંગી તેમજ રીયલ ફુલ થી દેરાસર સજાવવામાં આવ્યો હતો દરરોજ ભક્તિ ભાવની રમઝટ જામી હતી
ભરત ઠાકોર ભીલડી