ઘડિયાળે 2:50 બતાવ્યું અને કામે બ્રેક! થરાદ પોસ્ટ ઓફિસ સામે ઉઠ્યા સવાલો”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ડિજિટલ યુગમાં જ્યાં સેવાઓ 24 કલાક ઉપલબ્ધ કરવાની વાતો થાય છે, ત્યાં થરાદ પોસ્ટ ઓફિસમાં ટપાલ સેવા જાણે ઘડિયાળના કાંટા સાથે બંધાઈ ગઈ હોય તેવી ચર્ચા ઉઠી છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ બપોરે 2:50 વાગ્યા બાદ ટપાલ આપવા જતાં તેમને “હવે કાલે આવજો ” એવો જવાબ સાંભળવો પડે છે.
પ્રશ્ન એ થાય છે કે પોસ્ટ ઓફિસનો સમય પૂરો થયો હોય તો વાત અલગ, પરંતુ કાર્યાલય ચાલુ હોવા છતાં સામાન્ય નાગરિકોને ટપાલ માટે બીજા દિવસની રાહ જોવાની ફરજ કેમ પડે? ગામડાઓ સુધી સંદેશા પહોંચાડતી સરકારી સેવામાં સમયમર્યાદાનું પાલન જરૂરી છે, પરંતુ નાગરિક સુવિધા પણ એટલી જ મહત્વની છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે “જ્યારે ઓફિસ ખુલ્લી છે, કર્મચારીઓ હાજર છે, ત્યારે ટપાલ સ્વીકારીને આગળની કાર્યવાહી નિયમ મુજબ કેમ ન કરવામાં આવે?” આ સ્થિતિને કારણે ખાસ કરીને ગામડાના લોકો અને વડીલોને ધક્કા ખાવા પડે છે.
સંબંધિત વિભાગે સ્પષ્ટતા કરવી જોઈએ કે 2:50 વાગ્યા પછી ટપાલ સ્વીકારવાની અને ડિસ્પેચ કરવાની સત્તાવાર નીતિ શું છે, જેથી નાગરિકોમાં રહેલી મૂંઝવણ દૂર થાય અને સેવા પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે.




