રૂનાડની શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલય રૂનાડ તા.જંબુસરમાંથી તા.20/21 જાન્યુઆરી 2023 બે દિવસ શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.
રૂનાડની શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલય રૂનાડ તા.જંબુસરમાંથી તા.20/21 જાન્યુઆરી 2023 બે દિવસ શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.
તા.20/1/2023ને શુક્રવારે સવારે 6.00 કલાકે રૂનાડ શાળામાંથી ટુરીઝમ ટ્રાવેલ્સ કાવીની બસ ઉપડી હતી. અને પ્રથમ લોથલ 5000 વર્ષ પહેલાની હડડપીય સંસ્કૃતિના અવશેષો નિહાળી અમે જયાં દુનિયાના વિવિધ દેશોના વિવિધ પ્રકારના પક્ષીઓ બૉટમાં બેસી જોયા હતા. ત્યાંથી અમે બહેચરાજી બહુચર માતાજીના દર્શન કરી ગુજરાતનું પ્રસિદ્ધ સૂર્યમંદિરના દર્શન કરી અમે ઊમિયા માતાજીના ઊંજામાં દર્શન કરી રાત્રી ભોજન કરી ત્યાંથી રાત્રે 10.00 વાગે અંબાજી પહોંચ્યા. જ્યાં રાત્રે ખરીદી કરી અંજલી હોટલમાં રાત્રી રોકાણ કરી. સવારે 21/1/2023 વહેલી સવારે અંબાજી માતાજીના દર્શન કરી માતાજીની આરતીનો લાભ લીધો. ત્યાંથી ગબ્બરગઢ ચઢી દર્શન કરી ત્યાંથી ખેડબ્રહ્મા દર્શન કરી ત્યાંથી અમે શાકભાજીના દર્શન કરી બપોરનું ભોજન જાતે બનાવી ભોજન કરી ત્યાંથી ફાગવેલ ક્ષત્રિયવીર ભાથીજી દાદાના દર્શન કરી લસુંદરા ગરમપાણીના કુંડ જોઈને ત્યાંથી ડાકોર પહોંચી ખૂબ જ ખરીદી કરી ત્યાંથી વાસદ પાસે આવતા રાજુપુરા ગામના વિજયસિંહ અર્જુનસિંહ ચૌહાણ કે જે (છગનભાઈ બાબરભાઈ પરમારના જમાઈ થાય.) તેઓ બધાં જ પ્રવાસીઓ માટે પફ અને ફ્રૂટીની વ્યવસ્થા કરી હતી. ત્યાંથી રાત્રે 11.00 કલાકે રૂનાડ ભગવાનની કૃપાથી સુખરૂપે આનંદ મોઝ કરતાં-કરતા આવી પહોચ્યાં.