AMRELIRAJULA

રાજુલા ભાજપ સ્નેહમિલન યોજાયું

રાજુલા શહેર માં ભાજપ નું સ્નેહ મિલન યોજાયું

રાજુલા શહેર માં માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ નું સ્નેહ મિલન યોજાયું ….

નવું વર્ષ શરૂ થયું હોય ત્યારે ભાજપ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે જોકે જે દિવસે સ્નેહમિલનનું આયોજન હોય તે દિવસે વરસાદ આવેલ હોય ત્યારે આ સ્નેહમિલન થશે કે કેમ તે સર્વ માટે ચર્ચાનો વિષય હતો પરંતુ આવા ભારે વરસાદ અને આવા વાતાવરણની વચ્ચે પણ આ સ્નેહમિલન ખૂબ જ ભવ્ય રીતે યોજાયું અને આપને મિલન યોજાયું તો ખરું પરંતુ કહેવું પડે કે બેસવા માટે ભાજપના પરિવારો માટે ખુરશી પણ ઓછી પડે આવું ભવ્ય મિલન કાર્યક્રમ રાજુલા શહેરમાં યોજાયો ત્યારે આ કાર્યક્રમમાં પહોળી સંખ્યામાં લોકો હાજર રહેલા ત્યારે આ કાર્યકમ માં રાજુલા જાઠરાબાદ તેમજ ખાંભા વિસ્તારમાંથી કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ સાથે ભોજન લઈ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આત તકે સંસદસભ્ય નારણભાઈ કાછડીયા, રવુભાઈ ખુમાણ, જિલ્લા ભાજપના મહામંત્રી પીઠાભાઈ નકુમ પરેશભાઈ લાડુમોર મયુરભાઈ દવે હરસુરભાઈ લાખણોત્રા સાગરભાઇ સરવૈયા વંદનાબેન મહેતા રાજુલા વેપારી એસોસિએશનના ગૌરાંગભાઈ મહેતા બકુલભાઈ વોરા જાફરાબાદ વેપારી એસોસિએશનના હર્ષદભાઈ મહેતા, જયેશભાઈ ઠાકર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા, નાગરિક બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ ધાખડા, વનરાજભાઈ વરું વીરભદ્રભાઈ ડાભિયા સહિતના જિલ્લા ભાજપના હોદ્દેદારો, રાજુલા રાહેર, જાફરાબાદ શહેર, ખાંભા શહેર, તાલુકાના હોદ્દેદારો શહેરીજનો ગ્રામજનો સરપંચો ઉપસ્થિત રહ્યા હતા….

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!