DEDIAPADANARMADA

Tet/Tat પાસ કરતા શિક્ષકો ને કાયમી ભરતી કરવા ડેડીયાપાડા ધારાસભ્ય ને આવેદન અપાયું

Tet/Tat પાસ કરતા શિક્ષકો ને કાયમી ભરતી કરવા ડેડીયાપાડા ધારાસભ્ય ને આવેદન અપાયું.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 25/07/2023 – નર્મદા : Tet/Tat પાસ કરતા શિક્ષકો ને કાયમી ભરતી કરવા ડેડીયાપાડા ધારાસભ્ય ને સાગબારા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આવેદન અપાયું.આવેદન માં જાણવામાં આવ્યું છે કે ટેટ/ટાટ પાસ થયેલ ઉમેદવારો તથા બીએડ કરતા ઉમેદવારો આ વ્યવસ્થા થી નારાજ છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ. આપ સાહેબને આ પત્રથી જણાવીએ છીએ કે તમે અમારી આ રજૂઆત શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય તેમજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય તથા પ્રધાનમંત્રી ભારત સરકારને આપ ના માધ્યમથી જણાવો.

અમે એવું જણાવવા માંગીએ છીએ કે જો આપણે ગુજરાતને શિક્ષણમાં અગ્રેસર રાખવું હોય તો સ્વાભાવિક છે કે તમે કાયમી શિક્ષકોની ભરતી કરો તો જ શિક્ષણમાં ગુજરાત અગ્રેસર રહી શકે અને આવી રીતે જો જ્ઞાન સહાયક અને બેલ સહાયકથી જ સ્કૂલો ચલાવવાની હોય તો પછી સરકારમાં પણ ધારાસભ્ય સહાયક કે શિક્ષણ મંત્રી સહાયક મુખ્યમંત્રી સહાયક પ્રધાનમંત્રી સહાયક એવી કોઈ વ્યવસ્થા થાય તો સરકાર ચાલી શંકે ખરી ?

ગુજરાતનો વિષ્યનો શિક્ષક નમને આ પત્રથી રજૂઆત કરે છે સાહેબ કે તમે સત્વરે આવી અને જાહેરાત કરો કે ગુજરાત રંકાર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો છે અને જ્ઞાન સહાયક જેવી યોજના રદ કરવામાં આવે છે. અને હા સાહેબ કેટલા કાયમી શિક્ષકોની ભરતી કરશો એ પણ તમે જણાવો. શિક્ષક છે એ હંમેશા સર્જનાત્મક હોય છે એને તમે સર્જનાત્મક કાર્યોમાંથી ખંડનાત્મક કાર્ય તરફ શા માટે વાળી રહ્યા છો જે યોજનામાં શિક્ષકનું પોતાનું જ ભવિષ્ય નહીં હોય તે સ્વભાવિક છે કે બાળકના ભવિષ્ય ઘડતરમાં ક્યાંક ને ક્યાંક પાછો પડશે.

જેથી અમારા વતી આપ સાહેબશ્રી પાસે એક જ માંગણી છે કે આ જ્ઞાન સહાયક અને ખેલ સહાયક જેવી ૧૧ માસ આધારિત ટ્રાક્ટ શિક્ષકોની ભરતી રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમ આ આવેદન માં માંગ કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!