JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દિવાન ચોક ખાતે તા.૨૪ના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દિવાન ચોક ખાતે તા.૨૪ના ભરતી મેળો યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૨૩ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાનાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ફૂલર્ટન ઈન્ડિયા ક્રેડિટ કંપની લીમીટેડ જૂનાગઢ અને પરફેકટ ઓટો સર્વીસ પ્રા. લીમીટેડ જૂનાગઢ ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એચ.એસ.સી. અને સ્નાતક શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ, રંગ મહેલ દિવાન ચોક ખાતે તા.૨૪/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથેભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signupપરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જૂનાગઢ ના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!