૩૦ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
જામકંડોરણા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા રામ નવમી ના પાવન પર્વ નિમિત્તે રામ મંદિર ખાતેથી રથયાત્રા ની શ્રીફળ વધારી શુભ શરૂઆત કરવામાં આવી શહેરના જુદા જુદા ગ્રુપો દ્વારા રથયાત્રામાં ભાગ લીધો હતો ખોડીયાર ગરબી મંડળ ગ્રુપ દ્વારા સુંદર રામ લક્ષ્મણ તેમજ હનુમાનજી મહારાજના સુંદર શણગારો ટ્રેક્ટર માં કરવામાં આવ્યા હતા રથયાત્રા રામ મંદિર થી પટેલ ચોક ખોડીયાર ચોક મેન બજાર તેમજ શહેરના વિવિધ માર્ગો પરથી વાજતે ગાજતે ડીજેના તાલે નીકળી હતી આ શોભાયાત્રા ને સફળ બનાવવા માટે બજરંગ દળના નાજાભાઇ ભરવાડ ગજેરા સાહેબ વગેરે ગ્રુપના મિત્રોએ જહેમત ઉઠાવી હતી તેમજ મુસ્લીમ સમાજના ભાઈઓ દ્વારા બજરંગ દળના પ્રમુખ નાજાભાઇ ભરવાડનું તેમજ રાજકીય આગેવાનોનું પત્રકાર મિત્રોનું તેમજ જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા ભાઈઓનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું રથયાત્રાના રૂટ ઉપર બ્રહ્મ સમાજના ભાઈઓ દ્વારા સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જુદા જુદા ગ્રુપો દ્વારા શરબતોની તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના ભાઈઓએ જણાવ્યું હતું કે જે ભાઈઓ સાથ સહકાર અને સન્માન આપ્યું છે તેવા દરેક ભાઇઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.