IDARSABARKANTHA

ગામની દીકરી ગામમાં પરત ફરતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી

  1. ગામની દીકરી ગામમાં પરત ફરતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી

    ૮૨ વર્ષીય બ્રાહ્મણ વૃદ્ધાનું નેત્રામલી ગામમાં પુનઃ આગમન

  2.  

    હજુ ચાર દિવસ પહેલા જ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મહિલા સરપંચ પદમાબેન નિલેશભાઈ પટેલ તથા સભ્યો અને ગ્રામજનોના સહકારના કારણે જેની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થઈ છે તેવી સાબરકાંઠા જિલ્લાના નેત્રામલી ગામે લગભગ ૧૦ વર્ષના લાંબા વિરામ બાદ ગામની દીકરી એવી જશોદાબેન રાવલ પુનઃ પોતાના ગામમાં પરત ફર્યા છે સમાજ માટે દાખલા રૂપ કિસ્સાની વિગત એવી છે કે ઈડર તાલુકાના નેત્રામલી ગામે જશોદાબેન રાવલ તેમના પરિવાર સાથે કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન કરતા હતા પરંતુ તેમના પતિના અવસાન બાદ સાત પુત્રીઓની માતા એવા વૃદ્ધાને સંયુક્ત વારસા મિલકતમાંથી તેમના બે સગા ભાઈઓએ બે દખલ કર્યા હતા જેની સામે જશોદાબેન રાવલે કોર્ટમાં દાવો કરતા લાંબી કાનૂની લડત બાદ ઈડર કોર્ટ દ્વારા બાપની મિલકતમાં દીકરીનો હક હોવાનો ચુકાદો આપતા પાછળથી પેઢીનામા મુજબ વર્તમાન ઘર અને દુકાનની સહિયારી મિલકતમાં તેમનું નામ દાખલ થતા પરિવારના સભ્યો સાથે નેત્રામલી ગામે આવતા બહોળી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા નિરાધાર એવી બ્રાહ્મણ વૃદ્ધાને તાલુકાના વહીવટી તંત્ર ઉપરાંત નેત્રામલીના પૂર્વ સરપંચ નિલેશભાઈ પટેલ અને તલાટી પી.એમ અસારીએ કાયદાકીય મદદ કરી હતી.

    રિપોર્ટ, જયંતિ પરમાર સાબરકાંઠા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!