GUJARATKUTCHMANDAVI

શ્રી એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૦૫ સપ્ટેમ્બર : પાંચ સપ્ટેમ્બર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મ દિવસ નિમિત્તે શ્રી એસ.એસ.પી. એ હાઇસ્કૂલ નિરોણા મધ્યે શાળાના આચાર્યશ્રી ડો. વિષ્ણુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વયં શિક્ષક દિન હર્ષભેર ઉજવવામાં આવ્યો હતો. જેમાં આચાર્યની ભૂમિકા ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આયર મુકેશ એ નિભાવી હતી. શાળામાં પટ્ટાવાળા થી લઈને આચાર્ય સુધીની દરેક ભૂમિકા ધોરણ 9 થી 12 ના 32 વિદ્યાર્થીઓ દ્વારા નિભાવવામાં આવી હતી. શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. શાળાની શરૂઆત પ્રાર્થના સભાથી કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું. શિક્ષણ કાર્ય બાદ આચાર્ય અને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા જ્યારે ચારોલિયા નીતા દ્વારા શિક્ષક દિન વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું અંતે શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી બી એન પરમારસાહેબ દ્વારા શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાનુશાલી વંશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!