GUJARATJUNAGADHKESHOD

જૂનાગઢ જિલ્લાનાં ૧૮ થી ૪૫ વર્ષના રોજગારવાંચ્છુઓ માટે તા.૨૧ નવેમ્બરના રોજગાર ભરતી મેળો

જૂનાગઢ જિલ્લાનાં ૧૮ થી ૪૫ વર્ષના રોજગારવાંચ્છુઓ માટે તા.૨૧ નવેમ્બરના રોજગાર ભરતી મેળો

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ  સિલ્વર કન્ઝયુમર ઇલેટ્રીકલ્સ પ્રા.લી. (સીલ્વર પંપ), સી.આઇ.ઇ. ઓટોમોટીવ ઇન્ડિયા લી. તથા એસ.બી.આઇ. લાઇફ ઇંસ્યુરન્સ કંપની એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ મશીન ઓપરેટર, હેલ્પર કે લાઇફ મીત્ર ની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ  એસ.એસ.સી., એચ.એસ.સી., આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય અને સરકારી આઇ.ટી.આઇ. માંગરોળ(શીલ) દ્વારા આઇ.ટી.આઇ. કેમ્પસ માંગરોળ(શીલ) મુ. શીલ, ઝરીયાવાડા રોડ, તા – માંગરોળ ખાતે તા.૨૧/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.  પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ  https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

Back to top button
error: Content is protected !!