KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શ્રી ગોવર્ધનનાથજી હવેલીમા જીર્ણોદ્ધાર કાર્યનુ નિરક્ષણ કરતા અભિષેકલાલજી મહારાજ

તારીખ ૨૦/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના ગોવર્ધનાથજી હવેલી ના ગાદીપતિ પૂ. પા. ગૌ.૧૦૮ શ્રી અભિષેકકુમારજી મહારાજ( મથુરા કાલોલ રાજકોટ)દ્વારા હવેલી ના જીર્ણોધ્ધાર કાર્ય નુ ગતરોજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવેલી ના જીર્ણોધ્ધાર નુ કાર્ય ચાલી રહ્યુ છે ત્યારે ગોવર્ધનનાથજી મંદિર (મોટા મંદિર) ખાતે ગતરોજ મહારાજશ્રી ઉપસ્થીત રહ્યા હતા અને નિર્માણ કાર્ય નુ નિરિક્ષણ કર્યું હતુ.







