
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-15 મે : આથી AAY, PHH, BPL રેશનકાર્ડઘારક લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, સરકારશ્રી ઘ્વારા ચાલુ માસે લાભાર્થીઓને બે (મે-જુન) માસના જથ્થાનું વિતરણ કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્વયે ચાલુમાસે પ્રથમ મે-૨૦૨પ માસના જથ્થાનું વિતરણ વાજબી ભાવની દુકાનો પરથી કરવામાં આવશે. ત્યારબાદ ચાલુ માસમાં જ જુન-૨૦૨૫ માસના જથ્થાનું વિતરણ કરવામાં આવનાર છે. આમ, ચાલુ માસે એક-એક માસના જથ્થાનું વારા ફરતી વિતરણ થવાનું છે. દા.ત. મે-૨૦૨૫ નાં જથ્થાનું વિતરણ ૧ થી ૨૦ તારીખ સુઘી પૂર્ણ થઇ જાય ત્યારબાદ ર૧ મે થી ૩૧ મે સુઘી જુન-૨૦૨૫ માસનાં જથ્થાનું વિતરણ કરવામાં આવશે. આમ, મે માસમાં બે વખત જથ્થાનું વિતરણ વાજબી ભાવની દુકાનેથી કરવામાં આવશે. જેથી તમામ લાભાર્થીઓએ તે મુજબ અનાજ-ખાંડ નો જથ્થો આપના વાજબી ભાવના દુકાનદાર પાસેથી મેળવી લેવા તેમજ જે NFSA કાર્ડઘારકોના e-KYC બાકી હોય તેઓએ તાત્કાલિક V.C.E પાસેથી / મામલતદાર કચેરીએથી/ Post Office થી e-KYC પૂર્ણ કરાવી લેવા જણાવવામાં આવે છે.


