GUJARATJUNAGADH

ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને મહાનગર પાલિકા,જૂનાગઢના કાર્યપાલક ઇજનેરશ્રી જયેન્દ્રસિંહ ભગવાનભાઈ ઝાલા દ્વારા રૂ.૧૧,૧૧૧/- તેમજ શ્રી રાજેશભાઈ ગોવિંદાભાઈ ડાંગર દ્વારા રૂ.૨,૧૦૦/- નું રોકડ દાન…

ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને મહાનગર પાલિકા,જૂનાગઢના કાર્યપાલક ઇજનેરશ્રી જયેન્દ્રસિંહ ભગવાનભાઈ ઝાલા દ્વારા રૂ.૧૧,૧૧૧/- તેમજ શ્રી રાજેશભાઈ ગોવિંદાભાઈ ડાંગર દ્વારા રૂ.૨,૧૦૦/- નું રોકડ દાન...

મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઈસમો પાસેથી અનધિકૃત ઘાસ ચારો લઇ જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે.જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે.તેમજ જાહેર માર્ગ અથવા જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા તથા જયેશ પી.વાજા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે. જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગર પાલિકા,જુનાગઢ સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે.આ ગૌશાળામાં હાલ ૬૬૫ ગૌવંશ રાખવામાં આવેલ છે.જેમાં તા:૦૨/૦૫/૨૦૨૫ના રોજ મહાનગર પાલિકા સંચાલિત ગૌશાળામાં મહાનગર પાલિકા,જૂનાગઢના કાર્યપાલક ઇજનેરશ્રી જયેન્દ્રસિંહ ભગવાનભાઈ ઝાલા દ્વારા રૂ.૧૧,૧૧૧/- તેમજ કર્મચારી શ્રી રાજેશભાઈ ગોવિંદાભાઈ ડાંગર દ્વારા રૂ.૨૧૦૦/- નું રોકડ દાન આપવામાં આવેલ છે.મહાનગર પાલિકા,જુનાગઢની કાર્યવાહી શહેરીજનોના લોકહિતમાં હોય તેથી જુનાગઢ શહેરના શહેરીજનો પૈકી જે લોકો ઘાસ ચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા ફ્રેન્ડસ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જન સેવા કેન્દ્ર,જોશીપુરા ઝોનલ ઓફીસ(સોરઠ ભવન),ટીંબાવાડી ઝોનલ ઓફીસ,દોલતપરા ઝોનલ ઓફીસ,શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે.જે રકમનો ગૌશાળા ખાતે ઘાસ ચારો આપવામાં ઉપયોગ કરવામાં આવશે.જેની શહેરીજનોને પાકી પહોંચ આપવામાં આવશે.તેમજ મહાનગર પાલિકા,જૂનાગઢની(૧.) ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસેની ગૌશાળા (૨.) ખામધ્રોળ માં આવળ મંદિર પાસેની ગૌશાળા (૩.)સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળા અથવા શહેરની અન્ય કોઈ પણ ગૌશાળાએ જઈને ઘાસ ચારાનું દાન કરવા માટે જણાવવામાં આવેલ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!