
કેશોદ ના શેરગઢ ના કૃષ્ણનગર માં ગામ સમસ્ત શ્રી નિલકંઠ મહાદેવ શિવાલય માં નિલકંઠ મહાદેવ નો ગ્રામ જનો દ્વારા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ નું ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચ કુંડી યજ્ઞ મહા પ્રસાદ બટુક ભોજન અને ધુન ભજન કિર્તન સાથે છેલ્લા દિવસે રાત્રી ના અમરાપુર ગામનું ખ્યાતનામ રામા મંડળનું ધાર્મિક આખ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ તથા આજુબાજુના ભક્તજનો ની ભારે મેદની ઉપસ્થિત રહી આખી રાત કાર્યક્રમને માણ્યો હતો કાર્યક્રમ ને સફળ બનાવવા ગામના તમામ સમાજના આગેવાનો તેમજ યુવકો નો સહયોગ પ્રાપ્ત થયો હોવાની ગામ ની શેરી ઓ જામે કે ધર્મમય વાતાવરણ અને નિલકંઠ મહાદેવ ના હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





