કાલાવડ તાલુકા ના પત્રકારો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
16 જુન 2025
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના પત્રકારો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી..પત્રકાર હર્ષલ ખંધેડિયા,રાજુભાઇ રામોલિયા, નીરવ ભટ્ટ, કૃષિલ વાદી, અંકિત ગમઢા, નંદન ભટ્ટ, જુજાર ડગરી વગેરે દ્વારા ભાવભીની શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી…..અમદાવાદ થી લંડન જતા પ્લેન ક્રેશ માં ગુજરાત તેમજ રાજકોટ ના વિકાસમા જેનો સિંહ ફાળો છે તેવા વિકાસ ને વરેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ… ગુજરાત રાજ્ય ના ૨૦૧૬ માં ૧૬ માં મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી ગુજરાત રાજ્ય ના વિકાસ ને ખરા અર્થમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ના નું ગુજરાત બનાવા માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી તરીકે વિજયભાઇ રૂપાણી એ વિકાસ ને આગળ વધારી ને વિકસિત ગુજરાત વિકાસ સિલ ગુજરાત બનાવા માટે એક એક ક્ષણ નો બખુબી નિભાવી સર્વે ગુજરાતીઓ ના દિલમાં એક આગવું સ્થાન મેળવ્યું છે તેમજ રાજકોટ શહેર ના વિકાસ માટે એઇમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓવર બ્રીજ અટલસરોવ ન્યુ રેસ કોર્સ રામવન જેવા અનેક વિકાસના કામો તેમના મુખ્ય મંત્રી કાળ દરમિયાન થયેલ તેમજ જામનગર જીલ્લા ના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કાલાવડ તાલુકા ના અનેક વિકાસના કામો કરી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ની તકો ઉભી કરી લોકો ને પગભર કરવામાં આવેલ છે તેમજ કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં તેમના ભાષણમાં પત્રકારોની ઉપસ્થિતનો ઉલ્લેખ તેઓ ક્યાંય ન ભુલતા…….