GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

તા.22/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણના નકટીવાવ રોડ, દૂધરેજ શક્તિ માતાજી રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન પંચાયત વિભાગ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગોની બંને બાજુએ ઊગી નીકળેલા બાવળો, વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાંને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ નડતરરૂપ વનસ્પતિને કારણે વાહનચાલકોને માર્ગ પર અવર જવર કરવામાં પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર માર્ગ મકાન પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આ કામગીરી જેસીબીની મદદથી કરવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત વઢવાણ નકટીવાવ મેલડી માતાજીનો રોડ, દુધરેજ શક્તિ માતાજી રોડ, ફૂલ્ગ્રામ નવાણીયા રોડ, ભદ્રેશી ગામે સહિત રોડની બંને બાજુએ ઊગી નીકળેલા બાવળોને દૂર કરીને માર્ગોને વાહન વ્યવહાર માટે વધુ સુરક્ષિત અને સુગમ બનાવવામાં આવ્યા છે આ કામગીરીથી વાહન ચાલકોને થતી અસુવિધામાં ઘટાડો થશે.

Back to top button
error: Content is protected !!