
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૦ ફેબ્રુઆરી : કલેકટર કચેરીએ એ SIR ની કામગીરીમાં જે લોકોના નામ કાઢવામાં આવ્યા છે તેમની સાથે કલેક્ટર ને રજૂઆત કરવા આવ્યા હતા. જેમાં એક જ ગામ પહેલા સાડા ત્રણસો નામ કાઢવામાં આવ્યા અને અમારી રજૂઆત બાદ 146 નામ હજી પણ બાદ કરવામાં આવ્યા જ્યારે આ ગામના BLO જે સરકારી કર્મચારી છે જે 14 વર્ષથી તે ગામમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ કલેકટર ને અમારી રૂબરૂ વાત કરી કે આજે નામ કમી કરવામાં આવ્યા છે તે તમામ લોકો અહીં રહે છે મેં તમામના ફોર્મ ઓકે કર્યા છે છતાંય તેમના નામ કમી કરવામાં આવ્યા છે જ્યારે બીએલો પણ સાક્ષી પૂરતા હોય ત્યારે આ એસઆઇઆર ની કામગીરી ખરેખર ભાજપ પ્રેરિત હોય તેવું દેખાય છે કેમકે ફક્ત ને ફક્ત એવા લોકોના નામ કાઢવામાં આવ્યા છે જેઓ ભાજપને મત આપતા નથી ત્યારે આજે ગુજરાત પ્રદેશના આગેવાન રફિકભાઈ મારા એ ચીમકી પણ આપી હતી જો આ નામો પાછા નાખવામાં નહીં આવે તો જે આ કામગીરી થઈ રહી છે ચૂંટણી પંચ હોય કે કલેક્ટરશ્રી દ્વારા તો તેનો વિરોધ કરી અને કલેક્ટર ઓફિસ ની બારે તેમજ અંદર ભાજપ કાર્યાલય કાળી સાહિ થી લખવામાં આવશે તેવી ચીમકી આપી રફીકભાઈ મારા એ આપી હતી.







