JUNAGADHKESHOD

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ તથા એરાઉંડ ટ્રી ક્લબ જૂનાગઢ દ્વારા આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલી ના માળા નુ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ,

જૂનાગઢ આમ જનતા લાભ લીધો હતો. લોકોમા પક્ષીઓ અને ખાસ કરીને ચકલી જે હાલ લુપ્ત થવાને આરે છે તેના વિશે જાગૃતતા કેળવી શકાય.તેવા હેતુ થી ચકલી ના માળા નું વિતરણ કરવામાં આવ્યું સવારે ૧૧:૦૦ વાગ્યા થી ૧૨:૩૦ કેટ હાઉસ ખાતે ,ધોરણ 10 ની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ ને પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે અને ત્યાર બાદ લોક વિજ્ઞાન કેન્દ્રની ઓફીસ ખાતે આ માળાઓ નું વિતરણ કાર્યક્રમ રાખવા આવેલ હતું સાથે જણાવવા માં આવેલ માત્ર માળાઓ લઈ અને લગાવવા ના નહિ પરંતુ ત્યાં લગાવી અને ચકલી માળો કરે તેની સેલ્ફી લઈ અને પરત મોકલશો તેવી સૂચનો પણ કરવામાં આવેલ છે અને દરેક પોતાની ફરજ ના ભાગ રૂપે આ વાત ને સ્વીકાર પણ કરી જે એક આનંદ ની વાત છે આજના આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પૂજ્ય શ્રી મુકુંતાનંદજી બાપુ તથા શ્રી ગિજુભાઈ સાહેબ ના માર્ગદર્શન દ્વારા દરેક આ બાબતે જાગૃત થાય તેવી અપીલ પણ કરવામાં આવી છે તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા  તથા એરાઉંડ ટ્રી ક્લબ ના અમિત શાહ એ જણાવ્યું છે

રિપોર્ટ : અનિરૂદ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!