વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશપટેલ વાંસદા
દંડકવન આશ્રમ દ્વારા સ્વર્વેદ યાત્રા ઉત્સવ યાત્રા વાંસદાના ગાંધી મેદાનથી દંડકવન આશ્રમ સુધી યાત્રા
વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે આવેલ દંડકવન આશ્રમ દ્વારા સ્વર્વેદ યાત્રા ઉત્સવ યાત્રા વાંસદાના ગાંધી મેદાનથી દંડકવન આશ્રમ સુધી યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં હિન્દુ ભાવિક ભકતો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભારતીય નવું વર્ષ વિક્રમ સંવત 2080, સદાફલાબ્દ 135ના દિને “સ્વર્વેદ યાત્રા ઉત્સવ’ યાત્રા દંડકવન આશ્રમ, વાંસિયા તળાવ, વાંસદામાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ સ્વર્વેદ ગ્રંથને લોકો સુધી પહોંચાડવાનો અને વિશ્વ શાંતિ સાથે લોકોનું કલ્યાણ સ્થાપિત કરવાનો છે. વિહંગમ યોગ સંત સમાજના માતૃશક્તિ દ્વારા આયોજન કરી ઉમંગ, ઉત્સાહ, ઉલ્લાસ સાથે ગાંધી મેદાન વાંસદાથી દંડકવન આશ્રમ પર સ્વર્વેદ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ ભાવિક ભક્તો જોડાયા હતા.