વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
નર્મદા જિલ્લાના બોડેલી વિસ્તારની રેતીનો ઉપયોગ દક્ષિણ ગુજરાત ના અલગ અલગ વિસ્તારો માં અને છેક સેલવાસ અને દાદરા નગર હવેલી સુધી બાંધકામ માટે ઉપયોગ માં લઇ જવાઇ છે.ત્યારે હાલ લોક ચર્ચા મુજબ બોડેલી ખાતેથી નર્મદા નદીમાંથી રેતી ખનન કરવામાં આવે છે. ત્યારે બોડેલી ખાતેથી નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં અને અલગ અલગ વિસ્તારો માં થઇ નવસારી જિલ્લામાં આવે છે.જ્યારે નવસારી થી વલસાડ, વાપી, સેલવાસ તરફ ઓવરલોડ રેતી ગેરકાયદેસર રીતે રેતી પહોંચાડવામાં આવે છે. જ્યારે બોડેલી ગામમાંથી ઓવરલોડેડ રેતીના ટ્રક ભરવામાં આવે છે. અને તે ટ્રક તાપી જિલ્લા માંથી પસાર થઈ નવસારી જિલ્લામાં પ્રવેશ કરે છે.અને ચીખલી તાલુકા સુધી રેતી પહોંચાડવામાં આવે છે. ઓવરલોડેડ રેતીના ટ્રકે ત્રણ જિલ્લા ઓળંગીને ચીખલી પહોંચવું પડે છે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે, ત્રણ જિલ્લામાંથી ગેરકાયદેસર રેતીની ટ્રક પસાર થતી હોય તેમ છતાં પણ ભૂસ્તર વિભાગ કે પોલીસ તંત્ર દ્વારા તેમને રોકવામાં નથી આવતા? જ્યારે આ ટ્રકો મોટાં પ્રમાણે ગેરકાયદેસર ઓવેરલોડેડ રેતીની ટ્રક જે જિલ્લાઓ માંથી પસાર થાય છે. તે જિલ્લાના ભૂસ્તર વિભાગ અને પોલીસ તંત્ર સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે ગેરકાયદેસર રેતી પહોંચાડવાનો આ ગોરખ ધંધો કોની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યો છે. એ એક પ્રશ્ન રહ્યો. કારણ કે આમ ત્રણ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે રેતીના ઓવરલોડેડ ટ્રક રોકટોક વગર પસાર થતા હોય તે ઘણી મોટી બાબત કહી શકાય.હવે,આ ગોરખ ધંધો કોના છુપા આશીર્વાદ હેઠળ ચાલી રહ્યો છે ? તે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો સામે આવે તેમ છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.