*સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે ધોરણ ૯ થી ૧૨ ની શાળા શરૂ કરવા મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા શિક્ષણમંત્રી ર્ડા. કુબેર ડીંડોર ને ભલામણ કરવામાં આવી*
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામમાં હાલ ધોરણ ૧ થી ૮ સુધીનુ શિક્ષણ આપવામાં આવે છે જયારે વિદ્યાર્થીઓને ધોરણ ૯ પછીનો અભ્યાસ કરવા માટે બહારગામ જવું પડતું હોય છે હાલ ગામમાં અભ્યાસ કરતા કુલ ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા બહારગામ જવું પડે છે ….વરસાદી માહોલને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે અને ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને રજૂઆત કરતાં આજે સરસ્વતી તાલુકાના યુવા મંત્રી શર્માજી ઠાકોર , માનસંગજી , અરવિંદભાઈ ડોક્ટર તેમજ ખોડાણા ગામ ના ઉપસરપંચ અજમલભાઈ દેસાઈની હાજરીમાં વિદ્યાર્થીઓના હિતમાં મંત્રી શિક્ષણમંત્રી ર્ડા. કુબેર ડીંડોર ને લેખિત ભલામણ કરી હતી આ અંતર્ગત શિક્ષણમંત્રીએ ગામના આગેવાનોને ધોરણ ૯ થી ૧૨ સુધીના ધોરણની શાળા શરૂ કરવા માટે ખાતરી આપી હતી આ સંદર્ભે ગામના આગેવાનોએ બન્ને મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ડૉ.કુબેર ડીડોરનો આભાર માન્યો હતો
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર,પાટણ
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.