દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મારી માટી, મારો દેશ કાર્યક્રમને સફળ બનાવવા ૭૭મા આઝાદી દિનના ઐતિહાસિક પર્વ ને સેક્ટર-૨૨, વાસ્તુનિર્માણ સોઆયટી, ગાંધીનગર ખાતે ઉત્સાહ સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી યાદગાર બનાવેલ હતો. ઉપસ્થિત નગરજનોની હાજરીમા ગૌરવ ભેર રાષ્ટ્ર ધવજ લહેરાવી કાર્યક્રમના આયોજકશ્રી અનિલ કક્કડએ પોતાના સંબોધનમા આઝાદીના ઇતિહાસમા લખાયેલા સુવર્ણ પૃષ્ઠોને દોહરાવેલ હતા.
સર્વ વ્યાપી ઉજવણીમા પ્રેરીત જન સહયોગથી રાષ્ટ્ર ગીત, પ્રાસંગિક પ્રવચનો, આઝાદીના વીરસેનાનીઓને મૌન સાથે શ્રધ્ધાંજલી જેવા કાર્યક્રમો બાદ આયોજિત રેલીમા “ વંદે માતરમ “ , “ ભારત માતા કી જય “ , “ આઝાદ ભારત અમર રહો “ ના નારા લગાવવામા અવ્યા હતા. સચિવાલયના યુવાન સેક્શન ઓફિસર શ્રી અંકિત પટેલ દ્વારા બોરસલી. લીમડો જેવા રોપાઓ નુ વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવામા શ્રી મહિપાલસિંહ રાવ, શિવાજી ખંડારે, કરણસિંહ વાઘેલા વિગેરેએ તન મન ધનથી છેક સુધી યોગદાન આપી સિંહફાળો આપ્યો હતો.