DAHOD

ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે મકાન ધરાસાઈ તથાં બેના મોત બે લોકોને ઈજાઓ તથાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લવાયા

તા. ૧૧. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર.

અજય સાંસી દાહોદ

Dahod:ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે મકાન ધરાસાઈ તથાં બેના મોત બે લોકોને ઈજાઓ તથાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લવાયા

આજરોજ તા.૧૦.૦૯.૨૦૨૪ ના બુધવાર.૧૨.૦૦ કલાકે વાત કરીયેતો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે રાત્રી દરમ્યાન મકાનની દીવાલ ધરાસાઈ તથાં દિવાળ નજીક નિંદર માણી રહેલ પરિવાર જનો દબાયા હતા.દીવાલ ટુતતા પરિવારના અન્ય સભ્યોએ બુમાબુમ કરતા આસપાસના ગ્રામ જનો દોડી આવી અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.ત્યારે સાત વર્ષની બાળકી જોશના બેન અને પાંચ વર્ષની બાળકી રોષની બેનનું દિવાલ નીચે દબાતા મોત નીપજતા પરિવાર જનોમા ગમગીની છવાઈ હતી.અને એક બાળક કિરણ અને મનુભાઈ ને ગંભીર ઈજાઓ તથાં તેઓને સારવાર માટે દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ લાવવામા આવ્યા

Back to top button
error: Content is protected !!