DAHODGUJARAT

સંજેલીની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવી 

તા.૦૮.૦૮.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલીની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દ્વારા વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવી

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રો કાર્યરત છે જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.

ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સમસ્ત આદિવાસી પરિવારના મિત્રોને એક તીર એક સમાન – તમામ આદિવાસી એક સમાન તમામ ને જય જોહાર… એવી દિલથી શુભકામના પાઠવી હતી. તાલીમ વર્ગ ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આદિવાસી સંસ્કૃતિ, કાર્યો, બોલી, રીતરિવાજો વિશેની માહિતી આપવામાં આવી હતી.9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આનંદભેર ઉજવણી કરીએ એવી આશા વ્યક્ત કરી હતી.આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!