GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકા પંચાયતના બદલી પામેલા તાલુકા વિકાસ અધિકારી તથા નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી અને નવ નિયુક્ત તલાટી કમ મંત્રીઓનો સત્કાર સમારંભ સોંદરડા ડાયારામ આશ્રમ ખાતે યોજવામાં આવ્યો

તેમાં તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

કેશોદ તલાટી કમ મંત્રી એશોશીએશન દ્વારા કેશોદ ખાતેથી બદલી થયેલા તાલુકા વિકાસ અધિકારી રૂષીકેશભાઈ ત્રિવેદી નો વિદાય સમારંભ તથા નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી પાર્થ ગઢવી સાહેબનો સત્કાર સમારંભ ની સાથે સાથે તાજેતરમાં નવ નિયુક્ત થયેલા તલાટી કમ મંત્રી મંત્રીઓનો એક સત્કાર સમારંભ સોંદરડા ડાયારામ આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો તેમાં સન્માનિત વ્યક્તિઓ તથા તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભનુભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ જૈતાભાઈ સિસોદીયા સહિત ના મહાનુભાવો આ કાયૅકમમાં ઉપસ્થિત રહી નવ નિયુક્ત થયેલા તમામ લોકો ને પુષ્પગુચ્છ અપૅણ કરી સન્માનિત કર્યા હતા તો બીજી તરફ આ તકે કેશોદ થી બદલી પામેલા પુવૅ ટીડીઓ શ્રી રૂષીકેશભાઈ ત્રિવેદી નું શાલ ઓઢાડી મોમેન્ટો અપૅણ કરી તેમને ભવ્ય રીતે વિદાય આપી હતી તો બીજી તરફ તાજેતરમાં નવ નિયુક્ત તાલુકા વિકાસ અધિકારી તરીકે જેમણે કેશોદમાં ચાર્જ સંભાળેલ છે તેવા પાર્થભાઈ ગઢવીને પણ શાલ ઓઢાડી મોમેન્ટો અપૅણ કરી તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત તમામ નવ નિયુક્ત પામેલા તલાટી કમ મંત્રીઓને પણ આ તકે પુષ્પગુચ્છ અપૅણ કરી નવાજવામાં આવ્યા હતા ત્યારે આ કાયૅકમ નું સફળ આયોજન તલાટી મંત્રી એશોશીએશનના પ્રમુખ મુકેશભાઈ વિરડા દ્વારા કરવામાં આવ્યુ હતું ત્યારે કાયૅકમ નું સફળ સંચાલન મુકુંદભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યુ હતું

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!