DEVBHOOMI DWARKA
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકાના હર્ષદ ખાતે રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”નું લોકાર્પણ
દેવભૂમિ દ્વારકા, તા. ૮ ઓગસ્ટ – રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના મંદિરેથી “એક પેડ માઁ કે નામ” અભિયાનની સાથે ૭૫મા વન મહોત્સવ- ૨૦૨૪નો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ દરિયા કિનારે નિર્મિત રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”નું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આજે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવીમાં હર્ષદ માતાના મંદિરના સાનિધ્યમાં ૭૫મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે “માતૃવન”ના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સવા સાત કરોડ વૃક્ષો વાવીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જન જનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોથીત્રસ્ત છે, ત્યારે વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને ગુજરાતે ૭૫મા વન મહોત્સવ અન્વયે “એક પેડ માઁ કે નામ” અભિયાનને વેગવાન બનાવ્યું છે.હર્ષદ ગાંધવી ખાતે નિર્માણ પામેલા ૨૩મા સાંસ્કૃતિક વન – હરસિદ્ધિ વનમાં ૪૧ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૭ કરોડ વૃક્ષો વાવવાના છે. ૭૫મા વન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા લોકભાગીદારીથી સમગ્ર રાજ્યમાં પાંચ હજાર જેટલા માતૃવનનું નિર્માણ કરાશે. બાળકોમાં વૃક્ષ વાવવાના અને તેના જતનના સંસ્કાર કેળવાય એટલા માટે રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ કરી દેવાયો છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુએ ૪૦ હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે દ્વારકાના ગાંધવીમાં દરિયા કિનારે સુંદર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું છે. આટલે દૂર સુંદર વન બની શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી તેમજ સાંસ્કૃતિક નિર્માણનો આગવો વિચાર આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણને સાથે રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે. “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત અહીં એક માતૃવન નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યારે આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત આસપાસના ગામના લોકો એક એક ઝાડ વાવશે ત્યારે અહીં વિશાળ વન ઊભું થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વનોના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. જે અંતર્ગત આજે ૨૩મું સંસ્કૃતિક વન હરસિધ્ધિ મંદિર પાસે નિર્માણ પામ્યું છે. દ્વારકાના આંગણે આ બીજું સાંસ્કૃતિક વન છે. અગાઉ દ્વારકા પાસેના જ્યોતિર્લિંગ નાગેશ્વર પાસે નાગેશ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું હતું. આવનારી પેઢીનું ભાવિ સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન અને ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એ જ માત્ર ઉપાય છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશ મુજબ આપણે સાંસ્કૃતિક વનોને ધાર્મિક આસ્થાના તીર્થસ્થળો સાથે જોડ્યા છે અને તીર્થદર્શન સાથે પ્રાકૃતિક પ્રેમને ગુજરાતે મહત્વ આપ્યું છે. સોમનાથ મહાદેવમાં હરિહર વન, દ્વારકામાં નાગેશ્વર ખાતે નાગેશ વન સાથે હવે હરસિધ્ધિ વન તથા સુદામાનગરી પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મ સ્થળની પ્રવાસન સર્કિટ લોકોને આકર્ષશે. દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ ૭૫મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ૭૫મા વન મહોત્સવ પ્રસંગે જિલ્લાને ૨૩મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનની ભેટ મળી છે. આ સ્થળ દર્શનાર્થીઓ માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ બની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડ તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૫ કરોડથી વધુની રકમ હર્ષદ માતાજી મંદિર તેમજ આજુબાજુ વિકાસ માટે મંજૂર કર્યા હોવાની જાહેરાત પણ તેમણે કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા જન ભાગીદારી તેમજ સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ અને પ્રોત્સાહિત કરીને વન પેદાશોમાં વધારો કરવા બિન ઉત્પાદક જમીનનો ઉપયોગ કરી વૃક્ષારોપણ થકી આજીવિકાની વિપુલ તકો નિર્માણ કરવા માટે સામાજિક વનીકરણ વિભાગની અનેકવિધ યોજનાઓ અમલી છે.…
-
ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દીકરી વધામણાં કીટનું વિતરણ
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી થઈ રહી છે.…
-
દેવભૂમિ દ્વારકા : વડત્રા ગામે “બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસની ઉજવણી કરાઇ
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા “નારી વંદન સપ્તાહ”નાં દ્વિતીય દિવસે “બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસની ઉજવણી અંતર્ગત વડત્રા ગામની કસ્તુરબા ગાંધી…
-
પ્રાંત કચેરી ખંભાળિયા ખાતે વૃક્ષારોપણ કરાયું
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાન ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગ્રીન કવરમાં…
-
ખંભાળિયા ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓનાં રક્ષણ બાબત અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા યોગ કેન્દ્ર નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી રચનાબેન…
-
ખંભાળિયાની જી.વી.જે હાઈસ્કૂલ ખાતેથી મહિલા સુરક્ષા રેલી યોજાઇ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. ધાનાણી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું *** રેલીમાં…
-
સૌરાષ્ટ્રમાં બારેય મેઘ ખાંગાં, પોરબંદરમાં 22 ઇંચ, દ્વારકામાં 15 તો જૂનાગઢમાં 14 ઈચ વરસાદ
રાજ્યમાં એકી સાથે ત્રણ સીસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે…
-
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.પંડ્યા
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને નિયામક, જમીન દફતર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ…
-
જી.વી.જે. સરકારી હાઈસ્કૂલ, ખંભાળીયા ખાતે સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા અંતર્ગત શાળાકીય રમતોના આયોજન અંગે બેઠક યોજાઈ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ શાળાકીય…
-
અન્ડર ટ્રાયલ રિવ્યુ કમિટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામનગર જેલમાં રહેલા ૧૨ અન્ડર ટ્રાયલ આરોપીઓ બાબતે રેકમેન્ડેશન કરાયું
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા લિગલ સર્વિસીસ ઓથોરીટી એકટ, ૧૯૮૭ મુજબ જેલમાં રહેલા કેદી/આરોપી મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ…









