GUJARATIDARSABARKANTHA

પરિવાર થી વિખૂટા પડેલા પત્ની અને દિકરીનું પરિવાર સાથે મિલન કરાવતી હિંમતનગર સખી વન સ્ટોપ સેન્ટર

પરિવાર થી વિખૂટા પડેલા પત્ની અને દિકરીનું પરિવાર સાથે મિલન કરાવતી હિંમતનગર સખી વન સ્ટોપ સેન્ટર

 

સાબરકાંઠા જિલ્લાના નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર ખાતે આશ્રય આપી ગીતાબેન (નામ બદલેલ છે) અને તેમની દીકરી નું મિલન તેમના પરીવાર સાથે કરાવી એક પરિવાર ને તુટતા બચાવતુ હિંમતનગર સખી વન સ્ટોપ સેન્ટર.

૩૦ વર્ષિય ગીતાબેન મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ ખાતે પતિ અને પુત્રી સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ગીતાબેનની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તા.૦૧/૦૯/૨૦૨૩ ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર, જિ-સાબરકાંઠા દ્વારા નારી સંરક્ષણ કેન્દ્ર, હિંમતનગર ખાતે તેઓને તેમની બાળકી સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. બહેન પોતાની મરજીથી બાળકી સાથે તા:૨૫/૦૮/૨૦૨૩ ના રોજ હાલના રહેઠાણ અમદાવાદ ખાતે કોઈ ને કીધા વગર નીકળી ગયેલ અને પ્રાંતિજ ખાતે આવી પહોંચ્યા હતા. તા.૨૭/૦૮/૨૦૨૩ ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે મુકવામાં આવ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરથી તેમને નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે મુકવામાં આવ્યા જ્યાં તા.૦૨/૦૯/૨૦૨૩ ના રોજ ગીતાબેન અને તેમની દિકરી ની તબિયત સારી ના હોવાથી બન્નેને સિવિલ હોસ્પિટલ, હિંમતનગર ખાતે દાખલ કરાયા હતા. ગીતાબેનની દિકરીને બાળ સંજીવની કેંદ્ર હિંમતનગર ખાતે ૧૪ દિવસ દાખલ કરી હતા. ગીતાબેન હોસ્પિટલ ખાતે સખી બન સ્ટોપ સેન્ટરના સઘન પ્રયાસથી બહેનનું કાઉન્સેલીંગ કરી તેમના પરિવાર નું સરનામું જાણવામાં આવ્યું તેના આધારે તેમના પતિ નો સંપર્ક કરવામાં અવ્યો. આવી રીતે સખી વન સ્ટોપ સેન્ટર અને નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંકલન સાથે કામગીરી કરી પરિવારથી વિખૂટી પડેલી માતા અને દીકરી ને તેમના પતિ સાથે પુન:મિલન કરાવવામાં આવ્યું તેનો સાક્ષી હિંમતનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ બન્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!