વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ, તા-26 એપ્રિલ : તાલુકાની નાના રેહા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના બાળકોનો તેમજ શાળાના એચ.ટાટ આચાર્ય રાજેશ વાઘેલા, શિક્ષક દેવીસિંહ રાઠોડ તેમજ મહાવીર વૈષ્ણવનો વિદાય સમારંભ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. પ્રારંભે પહેલગામ આંતકવાદી હુમલામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. વિદાય સમારોહમાં ધો. ૮ ના બાળકોને પ્રતિક ભેટ આપવામાં આવી હતી તો બાળકોએ પણ શાળાને વૃક્ષારોપણ માટે રોકડ અનુદાન આપ્યું હતું.બાળકોએ જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. વિદાય લઈ રહેલા શિક્ષકોની કામગીરીને સૌએ બિરદાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે અતિથિ વિશેષ તરીકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશ રૂગાણી, જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભુજ બી.આર.સી.ભરત પટોડિયા ,પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, ગુરુ ગૌરવ એવોર્ડ વિજેતા અને દાતા પ્રવિણ ભદ્રા, પૂર્વ બી.આર.સી હરિભા સોઢા, ભૂપેશ ગોસ્વામી, ધીરજ ઠક્કર, પારલેજી કંપનીના મિતાંગ જોષી ,વિપુલ ભટ્ટ, આશાપુરા કંપનીના વિરેન ગોર, કુકમા ગ્રુપ આચાર્ય મીતકુમાર મેર, પેટા શાળાના આચાર્યો નરેન્દ્રસિંહ જાડેજા, રણછોડ બગડા, ગિરીશ પટેલ,સરપંચ ગેલુભા જાડેજા ,એસ.એમ.સી અધ્યક્ષ વિક્રમસિંહ જાડેજા, ઉપસરપંચ અજયસિંહ જાડેજા એડવોકેટ ભુરુભા જાડેજા ઉપરાંત ગ્રામજનોમાં લિયાકતભાઈ, સરૂપાજી જાડેજા, સુલતાનજી જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, શિવુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નું સંચાલન ઉર્વી મિસ્ત્રી, સ્વાગત વૈશાલી ખરચલિયા જ્યારે આભારવિધિ આચાર્ય જટુભા રાઠોડે કરી હતી. સમગ્ર વ્યવસ્થા અને આયોજન માટે વિત્તલ પ્રજાપતિ, ગૌતમ પ્રજાપતિ, અંકિત પ્રજાપતિ, મહાવીર વૈષ્ણવ, દિલુભા જાડેજા, વિલાસબા જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.