GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર બંગલા વિસ્તારમાં રહેતા આધેડ પુરુષે વ્યાજખોરો ના ચક્કર માં ફસાઈ ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કર્યો

વિજાપુર બંગલા વિસ્તારમાં રહેતા આધેડ પુરુષે વ્યાજખોરો ના ચક્કર માં ફસાઈ ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કર્યો
હાલ આધેડ પુરુષ હિંમતનગર ખાતે દવાખાને સારવાર હેઠળ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બંગલા વિસ્તાર માં રહેતા આધેડ પુરુષે વ્યાજખોરીના ચકકર માં ફસાઈ જતા જંતુનાશક ઝેરી દવા પીને કરેલ આત્મહત્યા ના પ્રયાસ માં પોલીસે પતિ પત્ની ના નિવેદનો તેમજ આધાર પુરાવા એકઠા કરી નવ ઈસમો સામે ફરીયાદ નોંધાવી છે જેમાં એક કાયદા નિષ્ણાંત નું પણ નામ હોવાથી વકીલ મંડળ દ્વારા પોલીસ મથકે જે અંતર્ગત ઠરાવ કરીને આપ્યો છે જેમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પોલીસ અધિકારી ને પણ જાણ કરવામાં આવી છે જોકે થોડા દિવસ અગાઉ આવા એક વ્યાજના ચક્કર માં ફસાઈ ને મોત વ્હાલું કર્યા ના બનાવ ને હજુ શાહી સુકાઈ નથી ત્યાં વ્યાજના ચક્કર માં ફસાઈ ઝેરી દવા પીને આપઘાત નો પ્રયાસ કરવા બાબતનો બીજો બનાવ બન્યો છે જોકે હાલ માં ઝેરી દવા પીનાર આધેડ પુરુષ ની તબીયત હજુ હાલક ડોલક થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાલુકામાં આવા વ્યાજખોરી માં ફસાઈ રહેલા યુવકો ગરીબ મધ્યમ વર્ગ ના લોકો આવા ચક્કરો માં ફસાતા હોવાથી ઘણી વખત વ્યાજખોરો ની સતામણી ના કારણે આપઘાત ના બનતા બનાવો અટકે તે માટે પણ જાગૃત નાગરીકો માં પણ વ્યાજખોરી નાબૂદ માટે ના કાયદેસર પગલાં જરૂરી બન્યા છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ શહેરના બંગલા વિસ્તારમાં રહેતા જાવેદભાઈ ઉસ્માન ભાઈ શેખ નામના આધેડ પુરુષે અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ શરતો ના આધીન કોરા ચેકો આપી તેમજ ગીરવે દસ્તાવેજ મૂકીને મહિને અને અઠવાડિયા ના ઉંચા દરે વ્યાજ આપી રૂપિયા 11લાખ 85 હજાર વ્યાજખોરો પાસેથી લીધા હતા. જેમાં કેટલાક લોકોને પૈસા મૂડી કરતા વધારે આપી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી માનસીક તેમજ મરવા માટે મજબૂર કરતા આ આત્મઘાતી પ્રયાસ કર્યો હતો પણ ઘરમાં પરિવાર જનો ની જાણ માં આવતા તેઓને સારવાર માટે સત્વરે દાખલ કરતા તબીયત સ્ટેબલ થતા પોલીસે જાવેદભાઈ શેખ નું નિવેદન તેમજ તેમના પત્ની નું નિવેદન તેમજ જરૂરી પુરાવા મેળવી ફરીયાદ નોંધી હતી જેમાં જાવેદહુસેન શખે મકાન ખરીદવા નું હોવાથી કલોલ ના મહેમુદ ભાઈ શેખ પાસેથી 7 લાખ લીધા હતા.જેનું દર મહિને 35 હજાર વ્યાજ ચૂકવતા હતા.તેમ છતાંય મકાન લખાવી ને ધમકીઓ આપતા હતા. જ્યારે ચાર વર્ષ પહેલાં જલાલુદ્દીન ચિસ્તી પાસેથી 1 લાખ 70 હજાર લીધા હતા. જેનું અઠવાડીયે રૂપિયા 10 હજાર નું વ્યાજ ચૂકવતા હતા તેઓએ જાવેદ ભાઈ ની પત્ની હસીના બેન ના ચેકો લઈ ચેક રીટર્ન નો કેસ કરી ધમકીઓ આપી ત્રાસ આપી રહ્યા હતા. તેમજ કિરીટ પટેલ પાસેથી રૂપિયા 20 હજાર લીધા હતા તેઓને પણ વ્યાજનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં મુદ્દલ બાકી રાખી ધમકીઓ આપી હતી .સંજય ભાઈ બારોટ વકીલ કે જેઓ પાસેથી બે લાખ રોકડા લીધા હતા જેનો રૂપિયા 17 હજાર 500 વ્યાજ દર મહિને ચૂકવતા હતા. જો આપવામાં સમય થાય તો તેમના સાગરીત અલી ભાઈ લઈ જતો હતો તેઓને તેમના સાગરિત ને અમો દર મહિને વ્યાજની ચુકવણી કરતા હતા. જે અંગેની કુલ નવ શખ્સો મેહબુબ ભાઈ રહે કલોલ તેમજ જલાલુદ્દીન ચિસ્તી તેમજ નઇમોદ્દીન ચિસ્તી તેમજ મ્યુદ્દીન ચિસ્તી તેમજ શાહનવાઝ પઠાણ તેમજ ઇકબાલ ભાઈ શેખ તેમજ મુરતુજા અલી સૈયદ તેમજ કિરીટ પટેલ જેનરીક મેડિકલ વાળા તેમજ સંજય બારોટ વકીલ સહિત સામે પોલીસ મથકે જાવેદ હુસેન ઉસ્માન ભાઈ શેખે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી જરૂરી પુરાવા એકઠા કરી તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!