અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી પોલીસ અધિકારીની ટીમે ધનસુરા માર્ગ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ કાર ચાલક હોસ્પિટલ ખસેડી માનવતાના દર્શન કરાવ્યા
મોડાસા ધનસુરા ધોરીમાર્ગ પરના રાહીયોલ રેલવે ફાટક પાસે ટ્રકને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,આવતી કાલે રહીયોલ ગોપાલ સ્નેક્સ પાસે, શ્રી સ્વામિનારાયણ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય,કાર્યક્રમ સ્થળેથી મોડાસા પરત ફરેલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે ચૌધરી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.આર પટેલ,અને દ્રાઇવર ગાજેન્દ્રસિંહ ઝાલાના ઓએ પોતાનું સરકારી વાહન થંભાવી દઈ,માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ,કાર ચાલકની મદદે આવી તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જઈ માનવતાના દર્શન કરાવતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.