GUJARATLIMBADISURENDRANAGAR

લીંબડી ખાતે મતદાન જાગૃતિ માટે મશાલ રેલી, નાટક અને નૃત્યનું આયોજન કરાયું.

તા.03/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ૦૯- સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૧-લીંબડી વિધાનસભા મત વિસ્તારના મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવા મશાલ રેલી, નાટક અને નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે મતદાતાએ લોકશાહીનો પ્રાણ છે આ લોકશાહીને સશક્ત બનાવવા દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયત્ન કરવામાં આવ્યા છે પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે સાથે જ આ મતદાતા મતદાન મથક પર જઈ પણ મત આપી શકશે આ ઉપરાંત ૮૫ વર્ષથી વધુ ઉંમરના વરીષ્ઠ નાગરીકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતાને ધ્યાને રાખી ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં વરિષ્ઠ નાગરીકો માટે મતદાન સુલભ અને સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા લોકો વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મતદાનના દિવસે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય અને મતદાન કરવા ન જઈ શકતા હોય તેવા અધિકારીઓએ ૧૨- ડી ફોર્મ ભરી મતદાન કરી શકે છે આમ દેશમાં એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય માટે ચૂંટણી પંચ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા જણાવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ મતદાનના દિવસે બિનચૂક મતદાન કરી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવા જણાવ્યું હતું આ તકે શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ સંબંધી નાટક અને “હું ભારત છું” ગીત પર નૃત્ય રજૂ કરાયું હતું આ ઉપરાંત મશાલ યાત્રામાં શાળાના બાળકો દ્વારા “હું ઝાલાવાડનો જાગૃત મતદાર” જેવા પોસ્ટરો થકી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!