વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા27 : જ્ઞાન લાઇવ અને અર્લી બર્ડના સહયોગ થી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ રાજ્ય સંયોજક મિનેષ ભાઇ પ્રજાપતિ ના સહયોગ થી આજે ગાંધીનગર મુકામે ભારતના 14 રાજ્યના કુલ 125 જેટલા શિક્ષકોને એન્વાયર મેન્ટ કંજરવેશન એવોર્ડ..2025 એનાયત કરવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા ની શ્રી નવચેતન પ્રાથમિક શાળાના સંચાલક શ્રી ભાનુબેન ભરતભાઈ જોષી ને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.. શિક્ષણ જગત માં ગૌરવ ફેલાયું છે.. આ સંચાલક શ્રી ને સૌ એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.